હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના જીવાપર ગામે સગીરાના અપહરણના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE











ટંકારાના જીવાપર ગામે સગીરાના અપહરણના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના જીવાપર ગામમાં વર્ષ ૨૦૦૦ માં અપહરણનો બનાવ બનેલ હતો જે ગુનામાં આરોપી રમેશ ઉર્ફે રાણા ધનજીભાઈ સંગાડને મોરબીની એડીશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે દ્વારા આજીવન કેદની શિક્ષાપાત્ર ગુન્હામાંથી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે.

ટંકારા પોલીસ મથકે જીવાપર ગામે બનેલ અપહરણના બનાવની પોલીસ ફરિયાદ થયેલ હતો અને વર્ષ ૨૦૦૦ માં ભોગ બનનાર ઉમર 16 વર્ષની હતી અને ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી લગ્ન કરવાની લાલચ આપી ભોગ બનનારનું અપહરણ કરવામાં આવેલ છે તેવી ફરિયાદ કરવામાં આવી હતી જેથી આઇપીસીની કલમ ૩૬૩,૩૬૬ અને ૩૭૬ મુજબનો ગુન્હો નોંધવામાં આવેલ હતો અને આ ગુન્હામાં આરોપી રમેશ ઉર્ફે રાણા ધનજીભાઈ સંગાડની ધરપકડ કરી હતી અને તેની સામે વર્ષ ૨૦૨૨ માં ચાર્જશીટ ફાઇલ કરેલ હતી અને આ કેસ મોરબીના એડી. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી રમેશ ઉર્ફે રાણા ધનજીભાઈ સંગાડને તા.૧-૧૦-૨૫ ના રોજ આજીવન કેદની શિક્ષાપાત્ર ગુન્હામાંથી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે ગુનાના કામે મોરબીની એડીશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં મોરબી જીલ્લાના યુવા એડ્વોકેટ ધ્રુવીલ ભીમાણી, જયદીપ જે. ઘોડાસરા, તથા નિકીતા વી.વામજા દ્વારા ધારદાર દલીલ કરવામાં આવેલ હતી અને એડ્વોકેટની દલીલો તથા લેન્ડમાર્ક જજમેન્ટને ધ્યાને લઈ અદાલત દ્વારા આરોપીને નિર્દોષ જાહેર કરેલ છે.






Latest News