મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

હળવદના ઘનશ્યામગઢ ગામે પત્ની સાથે જમવા બાબતે બોલાચાલી બાદ યુવાનને ન કરવાનું કરી નાખ્યું


SHARE







હળવદના ઘનશ્યામગઢ ગામે પત્ની સાથે જમવા બાબતે બોલાચાલી બાદ યુવાનને ન કરવાનું કરી નાખ્યું

હળવદના ઘનશ્યામગઢ ગામે પત્ની સાથે જમવા બાબતે બોલાચાલી થઈ હતી જે બાબતે મનોમન લાગી આવતા યુવાને વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતકના પત્ની દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં રાયસંગપર ગામે નારણભાઈ શંકરભાઈ દલવાડીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સબીરભાઈ ઉર્ફે સમીર દૂરસિંભાઈ નાયક (27) નામના યુવાને ગત તા. 16/9/25 ના રોજ નાગરભાઈ પોપટભાઈની વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર દરમિયાન ગઈકાલે તા. 3/10/25 ના રોજ બપોરે 2:00 વાગ્યાના અરસામાં તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પત્ની જારલીબેન સબીરભાઈ નાયક રહે હાલ રાયસંગપર વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને તેની પત્ની સાથે જમવા બાબતે બોલાચાલી થઈ હતી અને તે બાબતે તેને મનોમન લાગી આવતા યુવાને ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું છે જેની અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા અલ્તાફ કાસમભાઇ (39) નામના યુવાનને ગાંધી ચોક પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી 






Latest News