મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા છેવાડાના વિસ્તારોમાં ગરબીઓમાં લ્હાણી વિતરણ


SHARE













લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા છેવાડાના વિસ્તારોમાં ગરબીઓમાં લ્હાણી વિતરણ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં માતાજીની નવ-નવ દિવસ સુધી ચાચર ચોકમાં આરાધના કરતી અને ગરબે ઘુમતી બાળાઓને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રમુખ હરખજીભાઈ સુવારિયા મુખ્ય દાતા અને પુર્વ ખજાનચી મણીલાલ કાવર સહદાતા તરફથી ૭૦૦ બાળાઓને લ્હાણી આપવામાં આવી હતી.

આ સેવાકાર્યમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જય માતાજી ગરબી મંડળ લીલાપર રોડ, કષ્ટભંજન હનુમાનજી મંદિર ગરબી મંડળ રણછોડનગર નવલખી રોડ, કિશન પાર્ક ૧-૨-૩ અને નિત્યાનંદ ઉમિયા ગરબી મંડળ, જય અંબે ગરબી મંડળ રાજપર(કુ.), સતનામ ગરબી મંડળ સતનામનગર સોસાયટી ન્યુ ચંદ્રેશનગર, શીતળા માતાજી ગરબી મંડળ માળિયા (મિ.) જેવી ગરબી મંડળની બાળાઓને હિન્દુ સંસ્કૃતિ ઉજાગર કરે અને તેઓને પ્રોત્સાહન મળે તે માટે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના મુખ્ય દાતાશ્રી હરખજીભાઈ સુવારિયાના હસ્તે લ્હાણી આપવામાં આવી હતી.તેમજ સહદાતા મણીલાલ કાવર, સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ પાસ્ટ ડિસ્ટરિક ગવર્નર રમેશભાઈ રૂપાલા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી, ચંદુભાઈ કુંડારિયા પુર્વ પ્રમુખો ત્રિભોવનભાઈ ફુલતરિયા, ભીખાભાઈ લોરિયા તેમજ લાયન સભ્યો મહાદેવભાઈ ચિખલિયા, નાનજીભાઈ મોરડીયા, ચેતનભાઈ રાબડીયા, બાલુભાઈ પાંચોટીયા, કિશોરભાઈ ધોરિયાણી, રશ્મિકાબેન રૂપાલા, ઉમેશભાઈ પાડલિયાની ઉપસ્થિતિમાં અલગ અલગ ગરબી મંડળની બાળાઓને લ્હાણી આપવામાં આવી હતી.જેમાં હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થાય તેવી જય શીતળા માતાજી ગરબી મંડળમાં માળિયા (મિ) ના પીઆઈ કુલદિપસિંહ દરબાર અને તેમના સ્ટાફે હાજરી આપી હતી.તેમ સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા અને પુર્વ પ્રેસિડેન્ટ ત્રિભોવનભાઈ ફુલતરિયાએ યાદીમાં જણાવેલ છે.






Latest News