હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં આધેડનું મોત: ફોરેન્સિક પીએમ કરાયું


SHARE











મોરબીના લધીરપુર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં આધેડનું મોત: ફોરેન્સિક પીએમ કરાયું

મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા આધેડનું તેના કવાર્ટરમાં બે દિવસ પહેલા કોઈ કારણોસર મૃત્યુ નીપજ્યું હતું જેથી તેના મૃતદેને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ હોલિસ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મુન્નાપ્રસાદ સીતારામપ્રસાદ તાતી (51) નામના આધેડનું લેબર કોલોનીના તેના કવાર્ટરની અંદર કોઈ કારણોસર બે દિવસ પહેલા મૃત્યુ નીપજ્યું હતું અને તેની લાશને રોશનપ્રસાદ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાર બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની તપાસ કરી રહેલ સી.કે. પઢિયાર સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, આધેડ છેલ્લા થોડા દિવસોથી બીમાર હતા અને કવાર્ટરને અંદરથી બંધ કરેલ હતું દરમ્યાન તેનું મોત નીપજયું હતું અને બોડી ડિકમ્પોઝ થઈ ગયેલ હોવાથી તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈને જવામાં આવેલ છે.

મારામારીમાં ઇજા

રાજકોટ નજીક આવેલ ગૌરીદળના રહેવાથી નવઘણભાઈ છગનભાઈ વકાતર (35) નામના યુવાનને મોરબીના ભરતનગર પાસે માળિયા હાઇવે રોડ ઉપર આવેલ બ્રિજ પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News