મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી શ્રી ઔદીચ્ય વિધોતેજક મંડળ દ્વારા દશેરાએ ત્રિવિધ કાર્યક્રમ યોજાશે


SHARE













મોરબી શ્રી ઔદીચ્ય વિધોતેજક મંડળ દ્વારા દશેરાએ ત્રિવિધ કાર્યક્રમ યોજાશે

મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળ દ્વારા દર વર્ષ દશેરાએ સન્માન સમારોહ તેમજ શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામા આવે છે આવી જ રીતે આ વર્ષે પણ આગામી તા. 2 ઓક્ટોબરને ગુરુવારે વિજ્યા દશમીના દિવસે તેજસ્વીતા અભિવાદન સમારોહ, શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળના પ્રમુખ ર્ડો. અનિલભાઈ મહેતા, મહામંત્રી ભુપતભાઇ પંડ્યાએ જણાવ્યુ છેકે, વિજ્યાદશમી તા. 2 ને ગુરુવારે ઔદીચ્ય જ્ઞાતિની ભોજનશાળા સબ જેલ પાસે વાંકાનેર દરવાજા મોરબી ખાતે સાંજે 5 વાગ્યે ત્રિવિધ કાર્યક્રમ રાખવામા આવેલ છે. જેમાં તેજસ્વીતા અભિવાદન સમારોહમાં ધો. 1 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવશે. તથા શસ્ત્ર તેમજ શાસ્ત્ર પૂજન પણ કરવામાં આવશે. આ ત્રિવિધ કાર્યક્રમમાં ઔદીચ્ય વિદ્યોતેજક મંડળના દરેક આજીવન સભ્યોને હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કરવા આયોજકોએ જણાવ્યુ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ, મંત્રી તથા પ્રોજેક્ટ ચેરમેન નરેન્દ્રભાઈ મહેતા તેમજ સર્વે ટ્રસ્ટી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News