ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

હળવદના કવાડીયા ગામે વીજ શોક લાગતા યુવાનનું મોત


SHARE











હળવદના કવાડીયા ગામે વીજ શોક લાગતા યુવાનનું મોત

હળવદના કવાડીયા ગામની સીમ વિસ્તારમાં વાડીએ મજૂરી કામ કરતા યુવાનને વીજ શોક લાગ્યો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

હળવદના કવાડિયા ગામના તળશીભાઈ રાઘુભાઈ સિહોરા (27)વિશાલભાઈ ભડાણીયાની વાડી ચોથા ભાગે રાખી છે જેથી તે મજૂરીકામ કરતા હતા. તેવામાં શનિવારેના સમયે તળશીભાઇ વાડીએ પાણીની મોટર ચાલુ કરવા માટે ગયા હતા ત્યારે વીજ શોક લાગતા તળશીભાઈ રાઘુભાઈ સિહોરાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યાર બાદ ગામના સરપંચ સહિત આગેવાનો તેના મૃતદેહને  હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરી હતી. ઉલેખનીય છે કે, મૃતક ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો. અને તેના પિતાનું દોઢેક વર્ષ પહેલા અવસાન થયું હતું. અને અકસ્માતના આ બનાવમાં યુવાનનું મોત થવાથી તેના બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.






Latest News