મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસને બાતમી આપી હોવાની શંકાએ યુવાન ઉપર ચાર લોકોનો ધોકા-છરી વડે હુમલો


SHARE













મોરબીમાં પોલીસને બાતમી આપી હોવાની શંકાએ યુવાન ઉપર ચાર લોકોનો ધોકા-છરી વડે હુમલો

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા યુવાન ઉપર તે જ વિસ્તારમાં રહેતા પિતા-પુત્ર સહિત ચાર લોકો દ્વારા ધોકા તથા છરી વડે હુમલો કરવામાં આવ્યો હોય ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો હતો.પોલીસને બાતમી આપી હોવાનો ખોટો વહેમ શંકા કરીને યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હોય ભોગ બનેલા યુવાને હાલ બી ડિવિઝન પોલીસમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાવેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે હાલમાં મનોજભાઇ ઉર્ફે શન્નીભાઈ બળદેવભાઈ સોલંકી રાજપુત (૪૦) રહે.ફર્ન હોટલ પાસે જનકપુરી સોસાયટી ૮-એ નેશનલ હાઇવે સામાકાંઠે મોરબી-૨ એ જનકપુરી વિસ્તારમાં જ રહેતા પાર્થ અમિતભાઈ, અમિતભાઈ તથા બે અજાણ્યા ઇસમો એમ ચાર લોકોની સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા અમિતભાઈ ઉપર હથિયાર અંગેનો ગુનો નોંધાયો હતો અને ગુનામાં પકડાયેલા હતા.જે બાબતે તેઓ દ્વારા ફરિયાદી ઉપર પોલીસમાં જાણ કરી હોવાની ખોટી વહેમ શંકા કરીને ઝઘડો કર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.જ્યારે પાર્થ અમિતભાઈ દ્વારા ફરીયાદી મનોજભાઇને માથાના ભાગે ધોકો ફટકારવામાં આવ્યો હતો.તેમજ બે અજાણ્યા ઇસમો દ્વારા મનોજભાઈ ઉપર બેઠકના ભાગે છરી વડે ત્રણેક ઘા મારવામાં આવ્યા હતા.જે અંગે નોંધાયેલ ફરિયાદ બાદ હાલ બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે પોલીસનો શહેરમાં લેસ માત્ર ભય ન હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે અને પોલીસમાં નોંધાયેલ ફરિયાદમાં ખોટી વહેમ શંકા કરીને યુવાન ઉપર આ હુમલો કરવામાં આવ્યો હોવાનું હાલ સામે આવ્યું છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના જૂના ઘાંટીલા ગામે રહેતા રાજુબેન મનસુખભાઈ સનુરા નામના ૫૮ વર્ષીય મહિલાને હળવદના દેવીપુર નજીક બાઇક અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના રામનગર ખારીવાળી વિસ્તારમાં રહેતા લાભુબેન નવઘણભાઈ મુંધવા નામની સાત વર્ષની બાળકી બાઇકમાંથી પડી જતા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવી હતી.તેમજ મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેતા તરૂણાબેન વિરાજભાઈ દફતરી નામના ૪૨ વર્ષના મહિલા કોઈ કારણોસર દવા પી ગયા હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

દવા પી લેતા સારવારમાં

મોરબીના માધાપરા વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રસિંહ છનુભા ઝાલા નામનો ૩૫ વર્ષેનો યુવાન કોઈ કારણસર દવા પી જતાં તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જયારે વાવડી પાસેની મારૂતિ સોસાયટી વિસ્તારમાં રહેતા નારણભાઈ ભગવાનજીભાઈ સુથાર નામના ૩૧ વર્ષના યુવાનને પંચાસર ચોકડીએ અકસ્માત બનાવમાં ઈજા થતાં ૧૦૮ વડે સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના રવાપર ગામે ગોલ્ડન માર્કેટ નજીક બે લોકો દ્વારા તલવાર બતાવીને ધાક ધમકી આપી મારપીટ કરવામાં આવતા ચંદ્રેશ જયંતીભાઈ રાંકજા (૨૯) રહે.રવાપર ને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો






Latest News