મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

ટંકારા: પાલણપીરના મેળામાં સાસંદ-ધારાસભ્ય સહિતઓએ દાદાનાં દર્શન કર્યા


SHARE











ટંકારા: પાલણપીરના મેળામાં સાસંદ-ધારાસભ્ય સહિતઓએ દાદાનાં દર્શન કર્યા

ટંકારા તાલુકાના હડમતિયા મુકામે પાલણપીરની મેડીએ ત્રિદિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું  છે જેમાં રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યાં હતાં. મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, ટંકારા પડધરીનાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયામોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી તાલુકા પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, મોરબી જિલ્લા ભાજપ અજા મોરચા પ્રમુખ બાબુભાઈ પરમાર, મહેશભાઈ પરમાર, દિનેશભાઈ પરમાર, રણછોડભાઈ મકવાણા, મોરબી જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન અશોકભાઈ ચાવડા સહિતનાં મહાનુભાવો હાજર રહ્યા હતા તેનું સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અને મંદિરનાં ટ્રસ્ટી દેશા આપાગરનું વિશેષ અભિવાદન કરાયું હતું અને પાલણપીરનાં મંદિરે આવેલા રાજકીય આગેવાનોએ મંદિરના વિકાસ માટે તન, મન, ધનથી મદદરૂપ થવાનું વચન આપ્યું હતું. જેથી પાલણપીર સેવા સમિતિ વતી અર્જુનભાઈ ચૌહાણ, નાગજીભાઈ ચૌહાણ, ચંપાબેન મારૂ સહિતનાં પ્રતિનિધિઓએ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News