ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની યોગેશ્વર સોસાયટીની બાજુમાં ગેરકાયદે બિનખેતી કરાઇ હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ


SHARE











મોરબીની યોગેશ્વર સોસાયટીની બાજુમાં ગેરકાયદે બિનખેતી કરાઇ હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ યોગેશ્વર સોસાયટીની બાજુમાં જે ખેતીની જમીન હતી તેને ગેરકાયદે બિનખેતી કરવામાં આવી છે તેવો આક્ષેપ યોગેશ્વર સોસાયટીના લોકો દ્વારા કરવામાં આવ્યો છે અને તેમને ચાલવા માટેનો તથા વરસાદી પાણીના નિકાલ માટેનો જે રસ્તો હતો તેને બંધ કરવામાં આવ્યો હતો જેને આજે સ્થાનિક લોકોએ જેસીબી વડે તોડી પાડ્યો હતો જેથી કરીને પોલીસ ઘટના આવી હતી.

મોરબીના રવપર રોડે આવેલ યોગેશ્વર સોસાયટીમાં રહેતા લોકોના કહેવા પ્રમાણે ત્યાં 1,000 થી વધુ લોકો હાલમાં રહે છે અને યોગેશ્વર સોસાયટીની બાજુમાં જે ખેતીની જમીન હતી તેને થોડા વર્ષો પહેલા બિનખેતી કરવામાં આવી હતી ત્યારે બિલ્ડરો દ્વારા ખોટી માહિતી અધિકારીઓને આપવામાં આવી છે અને જે જગ્યાએ યોગેશ્વર સોસાયટી છે તેને જમીનને નકશામાં એગ્રીકલ્ચર લેન્ડ બતાવવામાં આવી છે. ત્યારબાદ તે બિલ્ડરોએ તેની જમીનને બિનખેતી કરાવી છે.

યોગેશ્વર સોસાયટીના લોકોને અવરજવર માટે જે વર્ષોથી રસ્તો હતો તથા વરસાદી પાણીના નિકાલ માટેનો જે રસ્તો હતો તેને બંધ કરી દેવામાં આવ્યું છે જેથી ગેરકાયદે દીવાલ બનાવવામાં આવી હતી તેને દૂર કરવા માટે થઈને અગાઉ રજૂઆતો કરવામાં આવી હતી છતાં તેને દૂર કરવામાં ન હતી જેથી આજે યોગેશ્વર સોસાયટીના સ્થાનિક લોકો દ્વારા તે ગેરકાયદે દિવાલને તોડી પાડીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે.

વધુમાં સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે જે ખેતીની જમીનને બિનખેતી બનાવીને પ્લોટ કરવામાં આવ્યા છે તે ગેરકાયદે રીતે બિનખેતી કરવામાં આવેલ છે જેથી કલેક્ટર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે અને અગાઉ જે બિનખેતી થયા છે તે સોસાયટીના દરેક રસ્તાને એપ્રોચ રસ્તા મળે તે પ્રકારે બિનખેતી કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલ છે.






Latest News