મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન 


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન 

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરાયું છે અને આગામી તા 21 ને  રવિવારે બપોરે દોઢ વાગ્યેથી મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડી ખાતે 16 મો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે.

મોરબીમાં દર વર્ષે જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરાયું છે જેમાં સમસ્ત આહીર સમાજના વિદ્યાર્થીઓને તથા વર્ગ-1 અને વર્ગ-2 ના કર્મચારીઓ તથા નિવૃત્ત કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે વવાણિયા માતૃશ્રી રામબાઈ મા ની જગ્યાના મહંત પ્રભુદાસજી મહારાજ હાજર રહેશે. તે ઉપરાંત રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન, મયુરનગર માતૃશ્રી રામબાઈ મા મંદિરના મહંતા વ્રજકિશોરીબેન, મુખ્ય વક્તા તરીકે ગુજરાત આહીર કેળવણી મંડળના પ્રમુખ પ્રવિણભાઈ ભેડા સહિતના સમાજના આગેવાનો હાજર રહેશે. આ કાર્યક્રમના સૌજન્ય વેણાસરના વતની અરજણભાઈ મેરામભાઈ હુંબલ છે. જેથી સમાજના દીકરી દીકરીઓને પ્રોત્સાહન આપવા માટે યોજાયેલ કાર્યક્રમમાં સમાજના લોકોને હાજર રહેવા માટે સમસ્ત આહીર સમાજના પ્રમુખ દિનેશભાઈ હુંબલ અને મંત્રી મયુરભાઈ ગાજીયાએ આમંત્રણ આપ્યું છે.






Latest News