મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત


SHARE











મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત

મોરબીના વજેપર શેરી નં-23 પાસે સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે અને તે બાબતને લઈને સ્થાનિક લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે જેથી આ બાબતે સામાજિક કાર્યકરો દ્વારા હાલમાં મહાપાલિકાના કમિશનર અને મોરબીના ધારાસભ્યને લેખિત રજૂઆત કરીને દબાણ દૂર કરવા માટે થઈને તાત્કાલિક પગલાં ભરવા માટે રજૂઆત કરવામાં આવી છે

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, ગીરીશભાઈ કોટેચા, જગદીશભાઈ બાંભણિયા તથા સ્થાનિક રહેવાસીઓ દ્વારા મહાકાલિકાના કમિશનર અને ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે મોરબીના વજેપર શેરી નં-23 માં આવેલ સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે અને ત્યાં ભૂંડ પકડીને રાખવામાં આવે છે જેના કારણે ગંદકી ફેલાય છે અને દુર્ગંધ આવતી હોય છે અને રોગચાળો ફેલાવવાની દહેશત હોય છે આટલું જ નહીં ત્યાં બાજુના જ વિસ્તારમાં આંગણવાડી આવેલ છે અને આંગણવાડી પણ જર્જરીત હાલતમાં  છે જેથી ગંદકીના કારણે બાળકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય તેવી શક્યતા છે જેથી મહાપાલિકાની ટીમ દ્વારા વજેપર શેરી નં 23 અને 22 તરફ જવાના રસ્તા ઉપર જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે અને ત્યાં ગેરકાયદેસર દબાણ દૂર કરીને ગંદકી સહિતના પ્રશ્નો ઉકેલવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.






Latest News