ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ટેકનોલોજી સપ્તાહના બીજા દિવસે ખેડૂતોને પાકની જાળવણી બાબતે માર્ગદર્શન અપાયું


SHARE











મોરબીમાં ટેકનોલોજી સપ્તાહના બીજા દિવસે ખેડૂતોને પાકની જાળવણી બાબતે માર્ગદર્શન અપાયું

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના હેઠળની મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા જળ અને જમીન વ્યવસ્થાપન સંસ્થા, વાલ્મી - રાજકોટના સંયુક્ત ઉપક્રમે કૃષિ ટેકનોલોજી સપ્તાહના બીજા દિવસે હાલની વરસાદી વાતાવરણની પરિસ્થિતિને ધ્યાને લઈને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક એમ.એફ. ભોરણીયા તથા ડૉ. કે.એન.વડારીયા દ્વારા હાલમાં વાવેતર કરેલા પાકોમાં લેવાની થતી કાળજી અને કાપણી પછીની તકેદારીઓ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રાજકોટ જમીન વ્યવસ્થાપન સંસ્થા વાલ્મી કાર્યપાલક ઇજનેર વી.એચ.ભોરણીયા દ્વારા ડેમોમાંથી સિંચાઈ વ્યવસ્થાપન માટે કેનાલના પાણીનો કરકસર યુક્ત વપરાશ બાબતે સિંચાઈ વ્યવસ્થા તથા સહભાગી સિંચાઈ વ્યવસ્થા બાબતે ખૂબ જ ઊંડાણ પૂર્વક માહિતી પ્રદાન કરવામાં આવી હતી. ઉપરાંત ખેડૂતોના મૂંઝવતા પ્રશ્નો બાબતે વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.






Latest News