મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ચંદ્રપુર પાસે સ્કૂટર સ્લીપ થતા કપાળમાં ઇજા પામેલ યુવાનનું મોત


SHARE













વાંકાનેરમાં ચંદ્રપુર પાસે સ્કૂટર સ્લીપ થતા કપાળમાં ઇજા પામેલ યુવાનનું મોત

વાંકાનેરના ચંદ્રપુર પાસે આવેલ કોમ્પલેક્ષ નજીક સ્કૂટર લઈને ગયેલ યુવાનનું સ્કૂટર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તેને કપાળના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટેની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઇ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી.

બનાવની જાણવા મળતી પ્રમાણે વાંકાનેર નજીક લિંબાળાની ધાર વિસ્તારમાં રહેતા અહેમદશા જહાંગીરશા રાઠોડ (21) નામનો યુવાન સ્કૂટર નંબર જીજે 9 સીયુ 6587 લઈને વાંકાનેર થી લીંબાળાની ધાર બાજુ જતો હતો ત્યારે ચંદ્રપુર નજીક આવેલ અંજની પ્લાઝા કોમ્પ્લેક્સ પાસે તેનું સ્કૂટર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તે યુવાનને કપાળના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા ત્યારે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News