મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પત્ની રિસામણે જતી રહેતા યુવાને કર્યો આપઘાત, મોરબીમાં સગાઈ તૂટી જતા યુવતીએ કર્યો આપઘાત


SHARE







વાંકાનેરમાં પત્ની રિસામણે જતી રહેતા યુવાને કર્યો આપઘાત, મોરબીમાં સગાઈ તૂટી જતા યુવતીએ કર્યો આપઘાત

વાંકાનેરમાં રહેતા યુવાનને તેની પત્ની સાથે ઘરકંકાશ રહેતો હોય અને તેની પત્ની રિસામણે જતી રહેતી હોવાને કારણે યુવાનને મનોમન લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જ્યારે મોરબીની મોટી માધાણી શેરીમાં રહેતી યુવતીની સગાઈ તૂટી જવાના કારણે તેને મનોમન લાગી આવતા તેણે પોતાના ઘરની અંદર આપઘાત કરી લીધો હતો.

વાંકાનેરના ભરવાડપરા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ મોનાભાઈ મકવાણા (35) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક જગદીશભાઈના પત્ની ભાવુબેન સાથે મનમેળ ન હોય ઘર કંકાસ થતો હતો અને અવારનવાર ભાવુબેન રિસામણે જતા રહેતા હતા જેથી કરીને જગદીશભાઈને મનોમન લાગી આવતા તેણે પોતે પોતાની જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

મોરબીમાં નાની બજાર પાસે આવેલ મોટી માધાણી શેરીમાં રહેતા અભિજીતભાઈ સનતભાઈ ભટ્ટની 22 વર્ષની દીકરી રિયાબેને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવતીની સગાઈ તૂટી જવાના કારણે તેને મનોમન લાગી આવતા તેણે પોતે પોતાના ઘરની અંદર પંખા સાથે લટકીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરી છે






Latest News