મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રાત્રિના વ્યવસાય ધંધા ચાલુ રાખવા તેમજ નવલખી રોડ બાબત આવેદન


SHARE







મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રાત્રિના વ્યવસાય ધંધા ચાલુ રાખવા તેમજ નવલખી રોડ બાબત આવેદન

આમ આદમી પાર્ટી મોરબી દ્વારા શહેરની અંદર ચાલતા નાના અને સામાન્ય ધંધાઓ જેવા કે ખાણી પીણી સાથે સંકળાયેલા વેપાર કે જે મોટે ભાગે મધ્યમ અને નાના ધંધાર્થી ચલાવતા હોય છે.આવા વ્યવસાયો રાત્રિના ૧૧ થી ૧૨ વાગ્યા દરમિયાન પોલીસ તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવે છે અને પોલીસ સ્ટાફ દ્વારા વેપારીઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરી ગેર વર્તણૂક કરવામાં આવે છે.તેવા આપ પાર્ટીએ તંત્રને રજુઆત કરેલ છે.ગુજરાત સરકારના પરિપત્ર મુજબ મહાનગરપાલિકા અંતર્ગતના વિસ્તારો, નેશનલ હાઈવે, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન તથા દવાખાઓ અને પેટ્રોલ પંપ આસપાસના વિસ્તારો ઉપર ૨૪ કલાક વ્યવસાય ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવેલ છે.જેથી આ વેપારીઓને પણ છૂટ આપવામાં આવે તેવી માંગણી મોરબી આમ આદમી પાર્ટીએ વેપારીઓને સાથે રાખીને જીલ્લા કલેકટર સમક્ષ કરી છે.જો આ વેપારીઓને ન્યાય નહીં મળે તો આંદોલન પણ કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારેલ છે.

બિસ્માર નવલખી રોડનું તાત્કાલિક રિપેરિંગ કરવા માટે પણ આવેદન આપવામાં આવ્યું

મોરબીના નવલખી રોડ પર કોલસો ભરીને ચાલતા ટ્રક અને ગ્રામજનો આ રોડનો ઉપયોગ કરે છે.આ રોડ પર ખૂબ જ મોટા પ્રમાણમાં ખાડાઓ પડી ગયેલ હોય અને આ રોડ પર આશરે ૨૫ ગામના લોકોની અવરજવર રહેતી હોય અવારનવાર ગંભીર અકસ્માતો આ ખાડાઓના લીધે બનતા હોય છે.ઘણીવાર લોકોને ગંભીર ઈજાઓથી માંડીને જીવ પણ ગુમાવવો પડતો હોય છે.આવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમ દ્વારા કાર્યપાલક ઇજનેરને તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ કરવા માટે માંગણી કરી છે. અને જો સમયસર આ બાબતનું નિરાકરણ ન આવે તો બધા ગ્રામજનોને સાથે રાખીને ઉગ્ર આંદોલનનો રસ્તો અપનાવવો પડે તો પણ અપનાવશે એવી ઉગ્ર રજુઆત કરી હતી.






Latest News