મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી પાટીયા પાસે નેશનલ હાઇવે ઉપર ઓવરબ્રિજ બનાવવા નિતિન ગડકરીને રજુઆત


SHARE













મોરબીના ટીંબડી પાટીયા પાસે નેશનલ હાઇવે ઉપર ઓવરબ્રિજ બનાવવા નિતિન ગડકરીને રજુઆત

મોરબી માળીયા નેશનલ હાઈવે પર આવેલ ટીંબડી પાટીયા પાસે ભુતકાળમાં અનેક જીવલેણ અકસ્માત થયેલ છે અને હજુ પણ નાના મોટા અકસ્માતો થાય છે તેમજ ટ્રાફિક જામ રોજીંદી સમસ્યા છે તેના ઉકેલ માટે ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી માંગ ટીંબડી ગામના રહેવાસી પત્રકારે કેન્દ્રીય મંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે.

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે ટ્રાફીકજામ અને અકસ્માત રોજિંદા છે જેથી કરીને લોકોની સમસ્યાને ઉલેકવા માટે ટીંબડીના રહેવાસી મોરબીના પત્રકાર મયંક દેવમુરારીએ ટીંબડી પાટીયા પાસે ઓવરબ્રિજ બનાવવા માટે કેન્દ્રીયમંત્રી નિતિનભાઈ ગડકરીને રજુઆત કરી છે. જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી માળીયા નેશનલ હાઈવે ૨૭ (૮-અ) ઉપર મોટાપાયે ટ્રાફીક રહેતો હોય મોરબીથી કચ્છને જોડતો એકમાત્ર હાઈવે હોવાથી ટ્રાફીકથી ધમધમતા હાઈવે પર દરરોજ હજારો વાહનોની અવરજવર હોય છે અને અને આ જગ્યા ઉપર અગાઉ અનેક વખત જીવલેણ અકસ્માતો થયેલ છે જેમાં ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે જેથી અકસ્માત અને ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે વહેલી તકે ઓવરબ્રિજ બનાવવામાં આવે તે જરૂરી છે. ઉલેખનીય છેકે, ટીંબડી ગામના પાટીયા પાસે ટ્રાન્સપોર્ટરોની ઘણી ઓફિસો આવેલ છે જેથી સતત ભારે વાહનોની અવાર જવર રહે છે માટે ત્યાર ઓવરબ્રિજ બનાવવામાં આવે તે જરૂરી છે.






Latest News