મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી પાટીયા પાસે નેશનલ હાઇવે ઉપર ઓવરબ્રિજ બનાવવા નિતિન ગડકરીને રજુઆત


SHARE







મોરબીના ટીંબડી પાટીયા પાસે નેશનલ હાઇવે ઉપર ઓવરબ્રિજ બનાવવા નિતિન ગડકરીને રજુઆત

મોરબી માળીયા નેશનલ હાઈવે પર આવેલ ટીંબડી પાટીયા પાસે ભુતકાળમાં અનેક જીવલેણ અકસ્માત થયેલ છે અને હજુ પણ નાના મોટા અકસ્માતો થાય છે તેમજ ટ્રાફિક જામ રોજીંદી સમસ્યા છે તેના ઉકેલ માટે ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી માંગ ટીંબડી ગામના રહેવાસી પત્રકારે કેન્દ્રીય મંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે.

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે ટ્રાફીકજામ અને અકસ્માત રોજિંદા છે જેથી કરીને લોકોની સમસ્યાને ઉલેકવા માટે ટીંબડીના રહેવાસી મોરબીના પત્રકાર મયંક દેવમુરારીએ ટીંબડી પાટીયા પાસે ઓવરબ્રિજ બનાવવા માટે કેન્દ્રીયમંત્રી નિતિનભાઈ ગડકરીને રજુઆત કરી છે. જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી માળીયા નેશનલ હાઈવે ૨૭ (૮-અ) ઉપર મોટાપાયે ટ્રાફીક રહેતો હોય મોરબીથી કચ્છને જોડતો એકમાત્ર હાઈવે હોવાથી ટ્રાફીકથી ધમધમતા હાઈવે પર દરરોજ હજારો વાહનોની અવરજવર હોય છે અને અને આ જગ્યા ઉપર અગાઉ અનેક વખત જીવલેણ અકસ્માતો થયેલ છે જેમાં ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે જેથી અકસ્માત અને ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે વહેલી તકે ઓવરબ્રિજ બનાવવામાં આવે તે જરૂરી છે. ઉલેખનીય છેકે, ટીંબડી ગામના પાટીયા પાસે ટ્રાન્સપોર્ટરોની ઘણી ઓફિસો આવેલ છે જેથી સતત ભારે વાહનોની અવાર જવર રહે છે માટે ત્યાર ઓવરબ્રિજ બનાવવામાં આવે તે જરૂરી છે.






Latest News