સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ ધામ ખાતે કાર્યરત જલારામ વેવિશાળ માહિતી કેન્દ્રને પ્રથમ સફળતા


SHARE











મોરબીમાં જલારામ ધામ ખાતે કાર્યરત જલારામ વેવિશાળ માહિતી કેન્દ્રને પ્રથમ સફળતા

મોરબીના જલારામ ધામ ખાતે લોહાણા સમાજના લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે વિનામુલ્યે શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર છેલ્લા ત્રણ સપ્તાહથી દર રવિવારે કાર્યરત કરવામાં આવ્યું છે અને માત્ર ત્રણ સપ્તાહમાં જ પ્રથમ વેવિશાળ સંસ્થાના સંચાલકો હરીશભાઈ રાજા (કાર્યવાહક પ્રમુખ- શ્રી લોહાણા મહાજન-મોરબી) કાશ્મીરાબેન કારીયા, સુનિલભાઈ પુજારા, પપ્પુભાઈ ચંડીભમર, અનિલભાઈ ગોવાણી તથા નરેન્દ્રભાઈ પાઁઉના પ્રયત્નોથી યોજાયુ છે.

જેની માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ હતું કે, મોરબી નિવાસી સ્વ.પ્રવિણભાઈ જાદવજીભાઈ રાચ્છ તથા ગં.સ્વ.હર્ષાબેન પ્રવિણભાઈ રાચ્છ ની સુપુત્રી ચિ.શ્રધ્ધાનું વેવિશાળ પાટડી નિવાસી પ્રવિણભાઈ તલખશીભાઈ ઠક્કર તથા શીતલબેન પ્રવિણભાઈ ઠક્કર ના સુપુત્ર ચિ.મિહીર સાથે કરવામાં આવેલ છે અને ત્યારે સંસ્થાના સંચાલકો તથા ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, પ્રતાપભાઈ ચગ, નરેન્દ્રભાઈ રાચ્છ, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, ચિરાગભાઈ રાચ્છ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ઉલેખનીય છે કે, શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર દર રવિવારે સાંજે ૫ થી ૭ દરમિયાન મોરબીના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે કાર્યરત હોય છે તેમ સંસ્થાના અગ્રણીઓની યાદીમાં જણાવ્યુ છે.






Latest News