મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં હાથ ઉછીના લીધેલા રૂપિયા ચૂકવવા આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમનો દંડ 


SHARE













મોરબીમાં હાથ ઉછીના લીધેલા રૂપિયા ચૂકવવા આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમનો દંડ 

મોરબીમાં હાથ ઉછીના લીધેલા રૂપિયા ચૂકવવા માટે 4 લાખનો ચેક આપેલ હતો જે ચેક રીર્ટન થયો હતો જેથી કરીને મોરબીની કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી જે કેસ ચાલી જતાં આરોપીને એક વર્ષની કેદની સજા અને ડબલ રકમનો દંડ વ્યાજ સહિત ચુકવવાનો કોર્ટે હુકમ કર્યો છે.

આ કેસની હકીકત એવી છે કે ફરીયાદી જીગરકુમાર અતૃતલાલ દરજી તથા આરોપી રમેશભાઈ વાલજીભાઈ ચૌધરી બંને મહેસાણાના વતની હતા. અને બંન્ને વર્ષો થયા એક બીજાને સંબંધ હતા. જેથી આરોપી રમેશભાઈએ ફરીયાદી જીગરભાઈ તથા તેના માતા પાસેથી વર્ષ 2012-16 દરમ્યાન ટુકડે ટુકડે 20.50 લાખ હાથ ઉછીના લીધા હતા ત્યારબાદ સમય વીતતા ફરીયાદીને રકમની જરૂરીયાત પડતા ફરીયાદીએ આરોપી પાસેથી રકમની માંગણી કરી હતી જેથી આરોપીએ કહ્યું હતું કે, અમો તમોને ટુકડે ટુકડે ચુકવી આપીશ તેવો વિશ્વાસ આપેલ હતો જેથી આ મુજબ ફરીયાદી તથા આરોપી વચ્ચે સમજૂતી કરાર થયેલ અને તે કરાર મુજબ આરોપીએ ચાર ચેક ફરીયાદીને આપેલ હતા તે ચેક પૈકી એક ચેક ચાર લાખનો તા 25/6/19 નો આપેલ હતો જે ફરીયાદી દ્વારા તેઓની બેંકમાં જમા કરાવતા ચેક રિટર્ન થયો હતો જેથી જીગરભાઈ દ્વારા નોટીશ આપેલ છતા આરોપીએ રકમ ચુકવણી કરેલ ન હતી જેથી ફરીયાદી જીગરભાઈએ આરોપી સામે ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી અને આ કેસ ચાલી જતા ફરીયાદ પક્ષે રજુ કરાયેલ પુરાવો તથા દલીલ તેમજ રજુ કરાયેલ ચુકાદાઓ ધ્યાને લઈને મોરબીના ત્રીજા એડી.ચીફ.જયુડી.મેજી. જજ સાહેબ દ્વારા આરોપી રમેશભાઈ વાલજીભાઈ ચૌધરીને એક વર્ષની કેદની સજા અને બમણી રકમ આઠ લાખનો  દંડ તથા ફરીયાદીને ફરીયાદ કર્યાની તારીખથી ૯ ટકા વ્યાજ વળતર પેટે ચુકવી આપવાનો હુકમ કર્યો છે અને જો વળતર ચુકવવામાં કસુર કરવામાં આવે તો 90 દિવસની વધુ કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં ફરીયાદી જીગરભાઈ દરજી તરફે મોરબીના વકીલ મયુર પી.પુજારા રોકાયેલ હતા.






Latest News