મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં હાથ ઉછીના લીધેલા રૂપિયા ચૂકવવા આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમનો દંડ 


SHARE











મોરબીમાં હાથ ઉછીના લીધેલા રૂપિયા ચૂકવવા આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમનો દંડ 

મોરબીમાં હાથ ઉછીના લીધેલા રૂપિયા ચૂકવવા માટે 4 લાખનો ચેક આપેલ હતો જે ચેક રીર્ટન થયો હતો જેથી કરીને મોરબીની કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી જે કેસ ચાલી જતાં આરોપીને એક વર્ષની કેદની સજા અને ડબલ રકમનો દંડ વ્યાજ સહિત ચુકવવાનો કોર્ટે હુકમ કર્યો છે.

આ કેસની હકીકત એવી છે કે ફરીયાદી જીગરકુમાર અતૃતલાલ દરજી તથા આરોપી રમેશભાઈ વાલજીભાઈ ચૌધરી બંને મહેસાણાના વતની હતા. અને બંન્ને વર્ષો થયા એક બીજાને સંબંધ હતા. જેથી આરોપી રમેશભાઈએ ફરીયાદી જીગરભાઈ તથા તેના માતા પાસેથી વર્ષ 2012-16 દરમ્યાન ટુકડે ટુકડે 20.50 લાખ હાથ ઉછીના લીધા હતા ત્યારબાદ સમય વીતતા ફરીયાદીને રકમની જરૂરીયાત પડતા ફરીયાદીએ આરોપી પાસેથી રકમની માંગણી કરી હતી જેથી આરોપીએ કહ્યું હતું કે, અમો તમોને ટુકડે ટુકડે ચુકવી આપીશ તેવો વિશ્વાસ આપેલ હતો જેથી આ મુજબ ફરીયાદી તથા આરોપી વચ્ચે સમજૂતી કરાર થયેલ અને તે કરાર મુજબ આરોપીએ ચાર ચેક ફરીયાદીને આપેલ હતા તે ચેક પૈકી એક ચેક ચાર લાખનો તા 25/6/19 નો આપેલ હતો જે ફરીયાદી દ્વારા તેઓની બેંકમાં જમા કરાવતા ચેક રિટર્ન થયો હતો જેથી જીગરભાઈ દ્વારા નોટીશ આપેલ છતા આરોપીએ રકમ ચુકવણી કરેલ ન હતી જેથી ફરીયાદી જીગરભાઈએ આરોપી સામે ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી અને આ કેસ ચાલી જતા ફરીયાદ પક્ષે રજુ કરાયેલ પુરાવો તથા દલીલ તેમજ રજુ કરાયેલ ચુકાદાઓ ધ્યાને લઈને મોરબીના ત્રીજા એડી.ચીફ.જયુડી.મેજી. જજ સાહેબ દ્વારા આરોપી રમેશભાઈ વાલજીભાઈ ચૌધરીને એક વર્ષની કેદની સજા અને બમણી રકમ આઠ લાખનો  દંડ તથા ફરીયાદીને ફરીયાદ કર્યાની તારીખથી ૯ ટકા વ્યાજ વળતર પેટે ચુકવી આપવાનો હુકમ કર્યો છે અને જો વળતર ચુકવવામાં કસુર કરવામાં આવે તો 90 દિવસની વધુ કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં ફરીયાદી જીગરભાઈ દરજી તરફે મોરબીના વકીલ મયુર પી.પુજારા રોકાયેલ હતા.






Latest News