મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે નજીવી વાતમાં છરી-તલવાર વડે સામસામે મારામારી: બંને પક્ષેથી નોંધાઈ ફરિયાદ


SHARE













મોરબીના રફાળેશ્વર ગામે નજીવી વાતમાં છરી-તલવાર વડે સામસામે મારામારી: બંને પક્ષેથી નોંધાઈ ફરિયાદ

મોરબીના રફાળેશ્વર ગામે ચોકડી પાસે નજીકની વાતમાં બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારબાદ બંનેપક્ષેથી મારામારી કરવામાં આવી હતી ત્યારે છરી અને તલવાર ઇજા પામેલા લોકોને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંનેપક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મોરબીના રફાળેશ્વર ગામે મહાદેવ મંદિરની બાજુમાં રહેતા લીલાભાઈ ખેંગારભાઈ ગમારા (58)એ હાલમાં મુકેશભાઈ પ્રભુભાઈ ખાંભળીયા, વિકાસભાઈ પ્રભુભાઈ બાવળીયા અને વિશાલભાઈ મુકેશભાઈ ખાંભળીયા રહે. ત્રણેય રફાળેશ્વર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીએ મુકેશભાઈ ખાંભળીયાને સાઈડમાં જવા માટે થઈને કહ્યું હતું જે તેને સારું નથી લાગતા ઉસકેરાઈ જઈને ધોકા વડે ફરીયાદીને મુઢમાર માર્યો હતો તથા સાહે રાજુભાઈને પાઇપ વડે મારમારીને ઈજા કરી હતી અને ત્યાર બાદ રાજુભાઈને વિકાસભાઈએ છરી વડે ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા લોકોને સારવારમાં લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ વધારે પોલીસ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જ્યારે સામાપક્ષેથી મૂળ રફાળેશ્વરના રહેવાસી અને હાલ મોરબીના વાવડી રોડ ઉપર મારુતિ પાર્કમાં રહેતા મુકેશભાઈ પ્રભુભાઈ ખાંભળીયા (45) એ લીલાભાઈ ખેંગારભાઈ ગમારા, મગનબાપા શાકભાજી વાળાના થડાવાળા, રાજુભાઈ હીરાભાઈ ગમારા અને બાબુભાઈ હીરાભાઈ ગમારા રહે બધા રફાળેશ્વર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદીને લીલાભાઈ સાથે ધંધા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે ત્રણેય આરોપીઓ દ્વારા ફરિયાદીને મારમારીને સાહે વિકાસને જમણા સાથળના ભાગે તલવાર વડે ઇજા કરવામાં આવી હતી તથા સાહે વિશાલને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News