ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના ખાખરેચી ગામે બ્રેઇન હેમરેજથી અવશાન પામેલ ખેડુતના પરિવારને બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા વિમા કંપનીને આદેશ


SHARE











મોરબીના ખાખરેચી ગામે બ્રેઇન હેમરેજથી અવશાન પામેલ ખેડુતના પરિવારને બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા વિમા કંપનીને આદેશ

માળિયા તાલુકાના ખાખરેચી ગામના વતની મનસુખભાઈ જાદવજીભાઇ બાપોદરીયા ખેડૂત ખાતેદાર હતા અને રાજકોટ હેમરેજ થતા મરણ પામેલ તેઓને પાંચ-પાંચ લાખની બે પોલીસી હતી.પરંતુ ચોલા મંડલમ વીમા કંપનીએ વીમાની રકમ આપવાની ના પાડતા મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરેલ જેમાં અદાલતે તા.૩૦-૯-૨૪ થી કુલ દશ લાખ ૬ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેઇસની વિગત એવી છે કે મોરબીના માળીયા(મિં.) તાલુકાના ખાખરેચી ગામના વતની મનસુખભાઈ જાદવજીભાઇ બાપોદરીયા બાથરૂમમાં નાહવા જતાં પડી ગયેલ અને માથામાં ઇજા થતાં તેને માળિયા સરકારી દવાખાનામાં દાખલ કરેલ હેમરેજને કારણે મરણ પામેલ તેમના પુત્ર જયેશભાઈએ વીમા કંપનીને તમામ કાગળો આપેલ પરંતુ ચોલામંડલમ વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમા કેઇસ દાખલ કર્યો હતો.મનસુખભાઈ ખાતેદાર ખેડૂત હતા તેમણે રાજકોટ ડીસ્ટ્રીકટ બેંક દ્રારા વીમો લીધેલ વીમાનુ પ્રીમીયમ ભર્યુ હતુ.માટે અદાલતે કહયુ કે વીમાકંપનીની સેવામાં ખામી છે માટે રૂા.દસ લાખ તા.૩૦-૯-૨૪ થી ૬ ટકાના વ્યાજ સાથે અને રૂા.૫૦૦૦ ખર્ચ પેટે ચુકવવાનો આદેશ ગ્રાાહક અદાલતે કરેલ છે.






Latest News