મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના ખાખરેચી ગામે બ્રેઇન હેમરેજથી અવશાન પામેલ ખેડુતના પરિવારને બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા વિમા કંપનીને આદેશ


SHARE











મોરબીના ખાખરેચી ગામે બ્રેઇન હેમરેજથી અવશાન પામેલ ખેડુતના પરિવારને બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા વિમા કંપનીને આદેશ

માળિયા તાલુકાના ખાખરેચી ગામના વતની મનસુખભાઈ જાદવજીભાઇ બાપોદરીયા ખેડૂત ખાતેદાર હતા અને રાજકોટ હેમરેજ થતા મરણ પામેલ તેઓને પાંચ-પાંચ લાખની બે પોલીસી હતી.પરંતુ ચોલા મંડલમ વીમા કંપનીએ વીમાની રકમ આપવાની ના પાડતા મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરેલ જેમાં અદાલતે તા.૩૦-૯-૨૪ થી કુલ દશ લાખ ૬ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેઇસની વિગત એવી છે કે મોરબીના માળીયા(મિં.) તાલુકાના ખાખરેચી ગામના વતની મનસુખભાઈ જાદવજીભાઇ બાપોદરીયા બાથરૂમમાં નાહવા જતાં પડી ગયેલ અને માથામાં ઇજા થતાં તેને માળિયા સરકારી દવાખાનામાં દાખલ કરેલ હેમરેજને કારણે મરણ પામેલ તેમના પુત્ર જયેશભાઈએ વીમા કંપનીને તમામ કાગળો આપેલ પરંતુ ચોલામંડલમ વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમા કેઇસ દાખલ કર્યો હતો.મનસુખભાઈ ખાતેદાર ખેડૂત હતા તેમણે રાજકોટ ડીસ્ટ્રીકટ બેંક દ્રારા વીમો લીધેલ વીમાનુ પ્રીમીયમ ભર્યુ હતુ.માટે અદાલતે કહયુ કે વીમાકંપનીની સેવામાં ખામી છે માટે રૂા.દસ લાખ તા.૩૦-૯-૨૪ થી ૬ ટકાના વ્યાજ સાથે અને રૂા.૫૦૦૦ ખર્ચ પેટે ચુકવવાનો આદેશ ગ્રાાહક અદાલતે કરેલ છે.






Latest News