મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબીના ખાખરેચી ગામે બ્રેઇન હેમરેજથી અવશાન પામેલ ખેડુતના પરિવારને બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા વિમા કંપનીને આદેશ


SHARE













મોરબીના ખાખરેચી ગામે બ્રેઇન હેમરેજથી અવશાન પામેલ ખેડુતના પરિવારને બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા વિમા કંપનીને આદેશ

માળિયા તાલુકાના ખાખરેચી ગામના વતની મનસુખભાઈ જાદવજીભાઇ બાપોદરીયા ખેડૂત ખાતેદાર હતા અને રાજકોટ હેમરેજ થતા મરણ પામેલ તેઓને પાંચ-પાંચ લાખની બે પોલીસી હતી.પરંતુ ચોલા મંડલમ વીમા કંપનીએ વીમાની રકમ આપવાની ના પાડતા મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરેલ જેમાં અદાલતે તા.૩૦-૯-૨૪ થી કુલ દશ લાખ ૬ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેઇસની વિગત એવી છે કે મોરબીના માળીયા(મિં.) તાલુકાના ખાખરેચી ગામના વતની મનસુખભાઈ જાદવજીભાઇ બાપોદરીયા બાથરૂમમાં નાહવા જતાં પડી ગયેલ અને માથામાં ઇજા થતાં તેને માળિયા સરકારી દવાખાનામાં દાખલ કરેલ હેમરેજને કારણે મરણ પામેલ તેમના પુત્ર જયેશભાઈએ વીમા કંપનીને તમામ કાગળો આપેલ પરંતુ ચોલામંડલમ વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમા કેઇસ દાખલ કર્યો હતો.મનસુખભાઈ ખાતેદાર ખેડૂત હતા તેમણે રાજકોટ ડીસ્ટ્રીકટ બેંક દ્રારા વીમો લીધેલ વીમાનુ પ્રીમીયમ ભર્યુ હતુ.માટે અદાલતે કહયુ કે વીમાકંપનીની સેવામાં ખામી છે માટે રૂા.દસ લાખ તા.૩૦-૯-૨૪ થી ૬ ટકાના વ્યાજ સાથે અને રૂા.૫૦૦૦ ખર્ચ પેટે ચુકવવાનો આદેશ ગ્રાાહક અદાલતે કરેલ છે.






Latest News