મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

અમદાવાદમાં બાળકની હત્યા કરનારા આરોપીને ફાંસીની સજા આપવાની મોરબી સિંધી જનરલ પંચાયત-હિન્દુ સંગઠનોની માંગ


SHARE











અમદાવાદમાં બાળકની હત્યા કરનારા આરોપીને ફાંસીની સજા આપવાની મોરબી સિંધી જનરલ પંચાયત-હિન્દુ સંગઠનોની માંગ

અમદાવાદના મણીનગર ખાતે આવેલ સ્કુલમાં વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી જે બાબતે સિંધી જનરલ પંચાયત મોરબીના હોદ્દેદારો અને હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રીડૂત પરિવારને ન્યાય મળે, આરોપીને સજા અને તેના સાથી મિત્રો તેમજ સ્કુલના સત્તાધીશો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

ગત તારીખ 20/8 ના રોજ અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલ સેવનથ ડે સ્કૂલ ખાતે ધોરણ 10માં અભ્યાસ કરતા નયન ગીરીશકુમાર સંતાની નામના વિદ્યાર્થીને તીક્ષણ હથિયારના ઘા ઝીકીને તેની હત્યા કરવામાં આવી હતી અને નયનને તીક્ષણ હથિયારના ઘા મારવામાં આવ્યા બાદ લગભગ અડધા કલાક સુધી જીવન મૃત્યુ વચ્ચે તે સંઘર્ષ કરતો હતો તેમ છતાં પણ સ્કૂલના મેનેજમેન્ટ અને સ્ટાફ દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવી ન હોવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી આ નિંદનીય બનાવ બાબતે સિંધી જનરલ પંચાયત મોરબીના પ્રમુખ સહિતના હોદ્દેદારો અને સિંધી સમાજના લોકો તથા હિન્દુ સંગઠનના લોકો દ્વારા મોરબી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

વધુમાં સિંધી સમાજના આગેવાન દિપેશભાઇ કટારમણએ જણાવ્યુ હતું કે, અમદાવાદની સ્કૂલમાં જે બનાવ બનેલ છે તેવો બનાવ રાજ્યની બીજી કોઈ સ્કૂલમાં ન બને તે માટે સ્કૂલમાં આવતા અને જતાં દરેક બાળકનું બેગ ચેક કરવામાં આવે તે અનિવાર્ય છે અને નયનની હત્યા કરનારા આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ મોરબીના સિંધી સમાજ તેમજ વિહિપ, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવેલ છે. તેમજ પીડિત બાળકના પરિવારને ન્યાય મળે, આરોપીના મિત્રો અને સ્કૂલ પ્રશાસન સામે કડક પગલાં લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે






Latest News