મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને કર્યો આપઘાત: સરા ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત


SHARE













મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને કર્યો આપઘાત: સરા ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત

મોરબીના જેતપરોડ ઉપર આવેલ રંગપર નજીક કારખાનામાં કામ કરતા શ્રમિક યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જ્યારે મુળી તાલુકાના સરા ગામે રહેતા વૃધ્ધાએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબી લાવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું  છે જેથી આ બંને બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે સ્પેરીટા સીરામીક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો જવાનસિંહ બહાદુરસિંહ (23) નામનો યુવાન કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કરેલ છે છે તે દિશામાં આગળની તપાસ એ.જે.ખડીયા ચલાવી રહ્યા છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સરા ગામના રહેવાસી સવિતાબેન શંકરભાઈ વરમોરા (72) નામના વૃદ્ધાએ કોઈ કારણોસર ગત તા. 18/8 ના રોજ ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાળક સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારિયા સોસાયટીમાં રહેતા મહેશભાઈ ગઢવીનો ત્રણ વર્ષ નો દીકરો ગૌરવ ઘર પાસે હતો ત્યારે રિક્ષાવાળાએ તેનો ઠોકર મારતા અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલ બાળકને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

યુવતી સારવારમાં

મોરબીના સનાળા રોડ પર આવેલ રાતડીયાની વાડીમાં રહેતી વિભૂતિ ધનજીભાઈ ડાભી (24) નામની યુવતી બાઇકમાં જતી હતી ત્યારે બાઇક સ્લીપ થવાના લીધે તેને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલો લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

ઝેરી દવા પીધી

મૂળ અમદાવાદના બાપુનગર વિસ્તારના રહેવાસી અને હા મોરબીના સનાળા રોડ ઉપર ધરમનગર વિસ્તારમાં પિતાને ત્યાં માવતરે આવેલ ગાયત્રીબેન પાર્થભાઈ રાઠોડ (26) નામની મહિલાએ કોઈ કારણસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News