મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી સિટી મામલતદાર કચેરીમાં રેશનકાર્ડની કામગીરી શરૂ કરવા રમેશભાઈ રબારીની માંગ


SHARE











મોરબી સિટી મામલતદાર કચેરીમાં રેશનકાર્ડની કામગીરી શરૂ કરવા રમેશભાઈ રબારીની માંગ

મોરબીમાં રેશનકાર્ડ અને તેના આનસંગિક જરૂરી કામકાજ માટે હાલમાં લાલબાગમાં સુધી જવું પડે છે જો કે, મોરબીમાં છેલ્લા ઘણા સમયથી શહેર અને તાલુકા મામલતદાર કાચેરી અલગ કરી નાખવામાં આવી છે પરંતુ આજની તારીખે પણ લોકોને રેશનકાર્ડ કામગીરી માટે સામાકાંઠે જવું પડે છે જેથી લોકોને હેરાન થવું પડે છે માટે આ હાલાકીને દૂર કરવાની માંગ કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ માલધારી સેલના માજી ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા હાલમાં કલેક્ટરને લેખિત રજૂઆત કરેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, મોરબી સિટી મામલતદાર કચેરી અલગ કરવામાં આવી છે જો કે, રેશનકાર્ડની કામગીરી માટે લોકોને તાલુકા મામલતદાર કચેરીએ જ જવું પડે છે જેથી ત્યાં ગીર્દી થાય છે અને અજદરારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આટલું જ નહીં સરકારી તંત્રમાં પણ જવાબદાર લોકો દ્વારા યોગ્ય પ્રતિભાવ મળતો નથી ત્યારે મોરબી શહેરનાં લાભાર્થીઓ માટેની કાર્યવાહી શહેર મામલતદાર કચેરી વી.સી. ફાટક કચેરીમાં આવેલ છે ત્યાં રેશનકાર્ડની કામગીરી કરી શકાય તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરેલ છે

જો તાલુકા અને શહેરની અલગ વ્યવસ્થા કરવામાં આવે તો શહેરી વિસ્તારનાં લાભાર્થીઓની સગવડતામાં વધારો થાય તેમ છે અને લોકોને લાલબાગના ધકકા થાય છે તે બંધ થઈ જાય તેમ છે અને પુરવઠા વિભાગ અનાજ વિક્રેતાઓને પણ નિયમ મુજબ પુરવઠો આપતો નથી દસ કિલોની બદલીમાં આઠ કિલો અને વીસ કિલોની જગ્યાએ ચૌદ કિલો અનાજ અપાય છે અને તેની પહોંચ પણ આપતા ન હોઈ, લાભાર્થીઓ સાથે છેતરપીંડી થાય છે જેની પણ ચકાસણી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી કરેલ છે અને લાભાર્થીઓને અનાજ મેળવવા માટે જરૂરી અંગુઠા લેવા બબ્બે ત્રણ-ત્રણ દિવસ ધકકા થાય છે તે હાલાકીને પણ દૂર કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News