મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

માળીયા (મી) બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં પકડાયેલ પત્રકાર અતુલ જોશી જેલ હવાલે, જમીનનો ઓરીજનલ દસ્તાવેજ કબ્જે કર્યો, હસ્તાક્ષર-સહિના નમૂના FSL માં મોકલાશે: કે.કે.જાડેજા


SHARE











માળીયા (મી) બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં પકડાયેલ પત્રકાર અતુલ જોશી જેલ હવાલે, જમીનનો ઓરીજનલ દસ્તાવેજ કબ્જે કર્યો, હસ્તાક્ષર-સહિના નમૂના FSL માં મોકલાશે: કે.કે.જાડેજા

માળીયા (મી) તાલુકાના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં પકડાયેલ આરોપી પત્રકાર અતુલ જોશીના 6 દિવસના રિમાન્ડ પૂરા થતાં તપાસનીસ અધિકારી દ્વારા તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને વધુમાં તપાસનીસ અધિકારી પાસેથી જાણવા મળતી માહિતી મુજબ રિમાન્ડ દરમ્યાન આરોપીને સાથે રાખીને હળવદ મામલતદાર કચેરીમાંથી બોગસ ખેડૂત ખાતેદાર બનવા માટે કરવામાં આવેલ વારસાઇની નોંધ સહિત કુલ મળીને ત્રણ મહત્વની નોંધની ઓરીજનલ ફાઇલ કબ્જે કરેલ છે તેમજ જમીનનો ઓરીજનલ દસ્તાવેજ કબ્જે કરવામાં આવેલ છે આટલુ જ નહીં આરોપીના હસ્તાક્ષર અને સહિના નમૂના પણ લેવામાં આવેલ છે જેને તપાસના કામે એફએસએલમાં મોકલાવવામાં આવશે.

માળિયા (મી)ના સરવડ ગામના હાલના તલાટી મંત્રીએ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશ પ્રભાશંકર રાવલ તથા બોગસ વારસાઈ આંબો બનાવનારબોગસ સોગંદનામુ બનાવનાર તથા બોગસ ખેડૂત ખાતેદાર બનેલ અને તેમાં મદદ કરનારની સામે ફરિયાદ કરી હતી જે ગુનાની તપાસ હાલમાં રાજકોટ ગ્રામ્ય સીઆઇડીના પીઆઇ ચલાવી રહ્યા છે અને આ ગુનામાં અગાઉ બે આરોપી સરવડના તત્કાલીન તલાટી મંત્રી ભરત ખોખર અને સાગર ફૂલતરિયાને પકડ્યા હતા તે બંને મોરબીની જેલમાં છે જો કે, છેલ્લે આ ગુનામાં તપાસનીસ અધિકારી પીઆઇ કે.કે.જાડેજા અને તેની ટિમ દ્વારા આરોપી તરીકે પત્રકાર અતુલ જોશીને પકડવામાં આવ્યો હતો અને કોર્ટમાં રજૂ કરીને તેના 6 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ સોમવારે પૂરા થતાં પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને મોરબીની સબ જેલ હવાલે કરેલ છે.

વધુમાં તપાસનીસ અધિકારી પીઆઇ કે.કે.જાડેજા પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ રિમાન્ડ દરમ્યાન આરોપી અતુલ જોશીને સાથે રાખીને હળવદની મામલતદાર કચેરીએ તપાસ માટે ટિમ પહોચી હતી અને હળવદ તાલુકાનાં ખોડ ગામે આવેલ ખેતીની જમીનમાં પાડવામાં આવેલ જુદીજુદી ત્રણ નોંધની ઓરીજનલ ફાઈલને તપાસના કામે કબ્જે કરવામાં આવેલ છે. જો કે, એક નોંધની ઓરીજનલ ફાઇલને અગાઉ તપાસના કામે કબ્જે લઈ લેવામાં આવી હતી. હાલમાં આરોપી પાસેથી જમીનનો અસલ દસ્તાવેજ પણ કબ્જે કર્યો છે અને તેના સહી અને હસ્તાક્ષરના નમૂના લેવામાં આવેલ છે જેને આગામી દિવસોમાં તપાસના કામે એફએસએલમાં મોકલાવવામાં આવશે.

હળવદ મામલતદાર કચેરીમાંથી મળતી માહિતી મુજબ હાલમાં જેની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી તે મૃતક મહેશભાઇ રાવલ અને તેના ભત્રીજા તેમજ ભત્રીજીના નામે ખેતીની જમીન ખોડ ગામે આવેલ હતી. જેમાં બોગસ વારસાઈ આંબો મેળવીને તેના આધારે જે મહિલા મહેશભાઇ રાવલની દીકરી જ ન હતી તેને દીકરી તરીકે બતાવીને રેવન્યુ રેકર્ડમાં તે મહિલાને મૃતક મહેશભાઇ રાવલ દ્રારા વારસદાર બનાવમાં આવી હતી. આ કૌભાંડની તપાસ સીઆઇડીની ટીમ કરી રહી છે અને જો ઊંડાણ પૂર્વકની તપાસ કરવામાં આવે તો આ કાંડમાં પણ અધિકારીની પણ સંડોવણી સામે આવે તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે.






Latest News