મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે એસીડ પી જતા પરણીતા સારવારમાં


SHARE













મોરબીના સામાકાંઠે એસીડ પી જતા પરણીતા સારવારમાં

 મોરબી-વાંકાનેર હાઈવે સિરામીક સીટી પાછળ આવેલા ઉમીયાનગરમાં રહેતા સપનાબેન રાહુલભાઈ ગમારા નામની 23 વર્ષની મહિલા ત્યાં આવેલા મનીષ કિરાના સ્ટોર પાસે અકળ કારણોસર એસીડ પી જતા સારવાર માટે આયુષમાં લાવવામાં આવતા પોલીસે બનાવની તપાસ શરૂ કરી છે.

ટીકર ગામે નદીના પુલ પાસેથી બાઈક લઈને જતી વખતે અચાનક કુતરૂ આડુ ઉતરતા સંકેત મહેશભાઈ હડીયલ (22)ને ઈજાઓ થઈ હતી. તેમજ ભાઈ સાથે બાઈકમાં જતી વખતે લખધીરપુર રોડના ઢાળ પાસે પડી જતા પગના ભાગે ફ્રેકચર સાથે જગદીશ રાઘવજી છેલાણીયા નામના યુવાનને સારવારમાં ખસેડાયો હતો.

યુવાન સારવારમાં
મુળ ધ્રાંગધ્રા હાલ ખાખરેચી તા.માળીયા (મીં) જી. મોરબીનો રહેવાસી જીજ્ઞેશ બળદેવભાઈ દલસાણીયા (33) નામનો યુવાન મહેન્દ્રનગર ચોકડી પાસે હતો ત્યાં રીક્ષાવાળાએ પગ ઉપર ટાયર ફેરવી દેતા સારવારમાં લઈ જવાયો હતો.

રામગઢ ગામે મેટાડોર ઉપર ગાયને ચડાવતા સમયે મેટાડોર ચાલુ થઈ જતા કૌશિક માવજી માકાસણા (39) રહે. ભકિત નિકેતન સોસાયટી મોરબીને સારવારમાં લઈ જવાયો હતો. જયારે નવા જાંબુડીયા ગામે શિવ ઓટોપેક નામના યુનીટમાં કામ દરમ્યાન હાત મશીનમાં આવી જતા ગોલુભાઈ રામદયાલ યાદવ (20)ને ઓમ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.

વાહન અકસ્માત
બાઈક આડે અચાનક ગાય આડી ઉતરવાથી વાહન સ્લીપ થઈ જતા સુનીલ કાનજીભાઈ (33) લીલાપર રોડ વાળાને સારવાર માટે લઈ જવાયો હતો. હળવદના સુખપર ગામે બાઈકમાંથી નીચે પડી જતા પમુબેન કનુભાઈ રજપુત (81)ને સારવાર માટે લવાયા હતા. તો ટંકારાના રાભીયાબેન જુમાભાઈ સોહરવદી (66) ગામમાં બાઈક પાછળથી પડી જતા દવાખાને લવાયા હતા. અને કારખાનેથી પરત ઘરે જતા વખતે બાઈક આડે ભુંડ ઉતરતા મેહુલ માવજીભાઈ ધોરીયાણી (27)ને દવાખાને ખસેડાયો હતો.

મહેન્દ્રનગર અકસ્માત
મહેન્દ્રનગર ગામે રહેતો રાજેશ અનીલભાઈ ભોજવીયા (40) ગામના ઝાંપા પાસેથી બાઈકમાં જતો હતો ત્યારે અકસ્માત સર્જાતા સારવારમાં લઈ જવાયો હતો. લીલાપર રોડ સ્મશાન પાસે બાઈકમાંથી પડી જતા ત્યાં ગૌશાળા નજીક રહેતા ભાવનાબેન અજયભાઈ કેસરીયા (35)ને સારવારમાં લઈ જવાયા હતા. તેમજ શનાળા રોડ સત્યમ પાન વાળી શેરીમાં બાલાજી હાઈટમાં રહેતા સવિતાબેન લાલજીભાઈ ચાડમીયા (83)ને હરભોલે ડેરી નજીક બાઈકમાંથી પડી જતા દવાખાને ખસેડાયા હતા.

વીસીપરા મારામારી
મોરબી વિસીપરામાં થયેલ મારામારીમાં ઈજાઓ થતા સતાર ઉમરભાઈ જેડા મીંયાણા (34) રહે. નવાગામ તા.માળીયા (મીં) મોરબીને સારવારમાં લઈ જવાયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે વિસીપરાના જાકીર હબીબ જેડા, શાબીર જાકીરભાઈ જેડા, કારો જાકીરભાઈ જેડા તથા એક અજાણ્યો ઈસમ એમ ચારેક લોકોએ સતારભાઈને માથા સહિતના ભાગે માર મારેલ છે.






Latest News