ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

માળીયા(મી)ના રાસંગપરની ગ્રામ પંચાયત આઠમી વખત સમરસ: સરપંચ ઘુમાલિયા અશોકભાઈ


SHARE











માળીયા(મી)ના રાસંગપરની ગ્રામ પંચાયત આઠમી વખત સમરસ: સરપંચ ઘુમાલિયા અશોકભાઈ

મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં ઘણી બધી ગ્રામ પંચાયતો આ વખતે ચૂંટણીમાં સમરસ બની છે ત્યારે જો વાત કરીએ માળીયા તાલુકાના રાસંગપર  ગામની તો રાસંગપર ગામની ગ્રામ પંચાયતને આ વખતે આઠમી વખત સમરસ બનાવવામાં આવી છે અને ગામના સરપંચ તરીકે ઘુમાલિયા અશોકભાઈ દેવજીભાઈને જવાબદારી સોંપવામાં આવી છે

માળીયા મીયાણા તાલુકાની રાસંગપર ગ્રામ પંચાયત છેલ્લી સાતમથી સમરસ બનતી આવે છે અને આ વખતે પણ આ ગ્રામ પંચાયત સમરસ બને તે માટે થઈને ગામના વડીલો અને આગેવાનો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી અને આ વખતે પણ આ ગામમાં ચૂંટણી યોજાવાની નથી અને સમરસ ગ્રામ પંચાયત બની ગઈ હોવાનું ગામના આગેવાનોએ જણાવ્યું છે અને વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ વખતે ગામના સરપંચ તરીકેની જવાબદારી ઘુમાલિયા અશોકભાઈ દેવજીભાઈને સોપવામાં આવી છે અને તેની સાથે સભ્યોમાં હેતલબેન બળદેવભાઈ રંગપડિયા, સંજયભાઈ દલપતભાઈ નિમાવત, યોગેશભાઈ ભગવાનજીભાઈ સનાળિયા, રામજીભાઈ અમરશીભાઈ લુડાસણા, રમેશભાઈ ચતુરભાઈ બાવરવા, રંજનબેન માવજીભાઈ શેરસીયા, અરુણાબેન મહેન્દ્રભાઈ ઓગણજા અને મનિષાબેન કેશવજીભાઇ આદ્રોજાને લેવામાં આવેલ છે અને ગામના સરપંચ ઘુમાલિયા અશોકભાઈ દેવજીભાઈવધુમાં જણાવ્યું છે કે આગામી સમયમાં પણ આ ગામની અંદર એકતા અને સંજળવાઈ રહે તેમજ દરેક લોકોની સુખાકારીમાં વધારો થાય તે પ્રકારની કામગીરી તેઓ દ્વારા આગામી પાંચ વર્ષ દરમિયાન કરવામાં આવશે






Latest News