ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૭મીએ માતાજીનો માંડવો-માં મોગલનો તરવેરો


SHARE











મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૭મીએ માતાજીનો માંડવો-માં મોગલનો તરવેરો

મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસની મેલડી માતાજીનો માંડવો તથા માં મોગલનો તરવેરોનું ૭-મીએ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કિશનભાઈ રાવળદેવ, તથા રમેશભાઈ રાવળદેવ ડાક ડમ્મરની રમઝટ બોલાવશે.

મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી ખાતે આવાસની મેલડી માતાજી મંદિરે તા.૭ ને મંગળવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે મેલડી માતાજી માંડવો તેમજ માં મોગલનો તરવેરોનું આયોજન કરવામાં આવ્યું છે. આ માંડવામાં કિશનભાઈ રાવળદેવ અને રમેશભાઈ રાવળદેવ માતાજીના ડાક ડમ્મરની રમઝટ બોલાવશે. આ માંડવામાં માતાજીના ભક્તો તેમજ ભુવાઓ વીશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ૭ મીએ યોજાનાર માતાજીનો માંડવો તેમજ માં મોગલનો તરવેરોમાં પધારવા માટે દિપકભાઈ અને સુનિલભાઈ તેમજ  સોનગ્રા પરિવાર તરફથી જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News