મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

હળવદમાં શ્રીમાળીના સમાજના સતીમાંના પાળીયાઓની અવદશા: તંત્ર મૌન !?


SHARE







હળવદમાં શ્રીમાળીના સમાજના સતીમાંના પાળીયાઓની અવદશા: તંત્ર મૌન !?

હરેશભાઈ પરમારા દ્વારા, હળવદના ભવાનીનગર વિસ્તારમાં આવેલ બ્રાહ્મણ  શ્રીમાળી સમાજના આશરે ૩૦૦ વર્ષ પુરાણા 40 જેટલા પાળિયાઓ વર્ષોથી છે આ કેમ્પસમાં  સતીમાની દેરીઓ ખંડેર હાલતમાં જોવા મળે છે તેમજ પીવા માટે પાણીના  સ્વચ્છતાના અભાવે અહીં આવતા લોકોઓ રોષ ભભુકી ઉઠયો હતો ત્યારે પાલિકાતંત્ર દ્વારા સમારકામ કરાવે તેમજ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે તેવી સમાજના આગેવાનોએ માંગ કરેલ હતી.

હળવદ શહેરમાં ઠેરઠેર વિવિધ જ્ઞાતિના સતીમાના પાળિયાઓ વર્ષો પુરાણા હજુ પણ મોજૂદ છે ત્યારે હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં આવેલ બ્રાહ્મણ શ્રીમાળી સમાજના જ્ઞાતિના 300 વર્ષ પુરાણા ૪૦ જેટલા પાળિયા મોજુદ છે તેમાં અમુક પાળિયાઓની દેરીઓ જર્જરિત હાલતમાં ખંડેર બની ગઈ છે તેમજ અહીં કેમ્પસમાં ગંદકી જોવા મળે છે તેની સાફ સફાઈ કરવામાં આવતી નથી તેમજ પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ છે ત્યારે આ  બાબતે હળવદના અને ટુરિઝમ એક્સપોર્ટ શરદભાઈ દવે જણાવ્યું હતું કે અમારા શ્રીમાળી સમાજના પાળિયાઓ ઘણા સમયથી  ખંડેર હાલતમાં છે નગરપાલિકા દ્વારા તેમજ પુરાતત્વ વિભાગ દ્વારા આ પાળિયાઓ નું સમારકામ કરાવે અને પીવાના પાણી જેવી તેમજ બેસવાની વ્યવસ્થા તેમજ કેમ્પસમાં સ્વસ્છતા  અભિયાન હાથ ધરવામાં આવે તેમ જણાવ્યું હતું






Latest News