મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

હળવદમાં શ્રીમાળીના સમાજના સતીમાંના પાળીયાઓની અવદશા: તંત્ર મૌન !?


SHARE











હળવદમાં શ્રીમાળીના સમાજના સતીમાંના પાળીયાઓની અવદશા: તંત્ર મૌન !?

હરેશભાઈ પરમારા દ્વારા, હળવદના ભવાનીનગર વિસ્તારમાં આવેલ બ્રાહ્મણ  શ્રીમાળી સમાજના આશરે ૩૦૦ વર્ષ પુરાણા 40 જેટલા પાળિયાઓ વર્ષોથી છે આ કેમ્પસમાં  સતીમાની દેરીઓ ખંડેર હાલતમાં જોવા મળે છે તેમજ પીવા માટે પાણીના  સ્વચ્છતાના અભાવે અહીં આવતા લોકોઓ રોષ ભભુકી ઉઠયો હતો ત્યારે પાલિકાતંત્ર દ્વારા સમારકામ કરાવે તેમજ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે તેવી સમાજના આગેવાનોએ માંગ કરેલ હતી.

હળવદ શહેરમાં ઠેરઠેર વિવિધ જ્ઞાતિના સતીમાના પાળિયાઓ વર્ષો પુરાણા હજુ પણ મોજૂદ છે ત્યારે હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં આવેલ બ્રાહ્મણ શ્રીમાળી સમાજના જ્ઞાતિના 300 વર્ષ પુરાણા ૪૦ જેટલા પાળિયા મોજુદ છે તેમાં અમુક પાળિયાઓની દેરીઓ જર્જરિત હાલતમાં ખંડેર બની ગઈ છે તેમજ અહીં કેમ્પસમાં ગંદકી જોવા મળે છે તેની સાફ સફાઈ કરવામાં આવતી નથી તેમજ પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ છે ત્યારે આ  બાબતે હળવદના અને ટુરિઝમ એક્સપોર્ટ શરદભાઈ દવે જણાવ્યું હતું કે અમારા શ્રીમાળી સમાજના પાળિયાઓ ઘણા સમયથી  ખંડેર હાલતમાં છે નગરપાલિકા દ્વારા તેમજ પુરાતત્વ વિભાગ દ્વારા આ પાળિયાઓ નું સમારકામ કરાવે અને પીવાના પાણી જેવી તેમજ બેસવાની વ્યવસ્થા તેમજ કેમ્પસમાં સ્વસ્છતા  અભિયાન હાથ ધરવામાં આવે તેમ જણાવ્યું હતું






Latest News