મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં આડેધડ એઠવાડ-કચરાનો નિકાલ ગૌવંશ માટે બને જીવલેણ


SHARE











મોરબીમાં આડેધડ એઠવાડ-કચરાનો નિકાલ ગૌવંશ માટે બને જીવલેણ

હાલમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે પ્રસંગ યોજાય છે અને લોકો આડેધડ ગમે ત્યાં એઠવાડ અને કચરા ફેંકે છે જેથી કરીને તેમાં ખોરાક ખાવા માટે ગૌવંશ જાય છે અને પ્લાસ્ટિક સહિતના કચરા ગૌવંશના પેટમાં જવાથી તે તેના માટે જીવલેણ સાબિત થાય છે ત્યારે મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક આવેલ પીપળી રોડ પાસે નિરાધાર ગૌ શાળા તરફ પાવર હાઉસ સુધીના વિસ્તારમાં એઠવાડ-કચરા ફેંકીને ગંદકી કરવામાં આવે છે અને પ્રતિષ્ઠ ભણેલ, ગણેલ અને સધ્ધર વ્યક્તિઓ ગામડાના અભણ લોકો પણ ન કરે તેવુ કૃત્ય કરી રહ્યા છે ત્યારે જાહેરમાં એઠવાડ-કચરા ફેંકતા લોકો ગૌવંશનું હિત ધ્યાનમાં રાખીને જાહેરમાં કચરો ફેંકવાનું બંધ કરે તેવી લાગણી અને માંગણી નિરાધાર ગૌશાળાના સંચાલક  અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરીષદ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિનેશ લોરીયાએ કરેલ છે અને જો જાહેરમાં એઠવાડ-કચરા ફેંકીને ગંદકી કરીને ગૌવંશ માટે જોખમ ઊભું કરનારા સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે 






Latest News