મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના જુના નાગડાવાસ ગામે તળાવમા અસંખ્ય માછલાના મોત


SHARE











મોરબીના જુના નાગડાવાસ ગામે તળાવમા અસંખ્ય માછલાના મોત

મોરબી નજીકના જુના નાગડાવાસ ગામની આસપાસના વિસ્તારમાં આવેલ કારખાનાઓમાંથી તળાવમાં કેમિકલયુક્ત પાણી આવતું હોવાના કારણે છેલ્લા ત્રણેક દિવસમાં તળાવમાં અસંખ્ય માછલાંના મોત થયા તેવું હાલમાં ગ્રામજનો જણાવી રહ્યા છે. અને ગામના તળાવને પ્રદુષિત પાણી આવી રહ્યું હોવાથી ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યું છે.

મોરબીના જુના નાગડાવાસ ગામના લોકોની પાસેથી મળતી માહિતી મુજબ ગાળા અને ગુગણ ગામ વચ્ચે સીરામીક અને પેપરમિલના કારખાના બની ગયેલ છે અને તે કારખાનામાથી કાળું કેમિકલ વાળું પાણી જાહેરમાં છોડવામાં આવી રહ્યું છે. જે સીધું જ વરસાદના પાણી સાથે ગામના તળાવમાં આવી રહ્યું છે જેથી છેલ્લા ત્રણ દિવસમાં જુના નગડવાસ ગામના તળાવમાં અસંખ્ય માછલાના મોત થયા છે અને તળાવનું પાણી પણ પ્રદુષિત થઈ ગયું છે. જેથી તે પાણી પશુ પંખીઓને પણ પીવામાં ચાલે તેવું રહ્યું નથી. માટે આ પાણીના સેમ્પલ લઈને પ્રદૂષણ વિભાગના અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.






Latest News