વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીના જુના નાગડાવાસ ગામે તળાવમા અસંખ્ય માછલાના મોત


SHARE











મોરબીના જુના નાગડાવાસ ગામે તળાવમા અસંખ્ય માછલાના મોત

મોરબી નજીકના જુના નાગડાવાસ ગામની આસપાસના વિસ્તારમાં આવેલ કારખાનાઓમાંથી તળાવમાં કેમિકલયુક્ત પાણી આવતું હોવાના કારણે છેલ્લા ત્રણેક દિવસમાં તળાવમાં અસંખ્ય માછલાંના મોત થયા તેવું હાલમાં ગ્રામજનો જણાવી રહ્યા છે. અને ગામના તળાવને પ્રદુષિત પાણી આવી રહ્યું હોવાથી ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યું છે.

મોરબીના જુના નાગડાવાસ ગામના લોકોની પાસેથી મળતી માહિતી મુજબ ગાળા અને ગુગણ ગામ વચ્ચે સીરામીક અને પેપરમિલના કારખાના બની ગયેલ છે અને તે કારખાનામાથી કાળું કેમિકલ વાળું પાણી જાહેરમાં છોડવામાં આવી રહ્યું છે. જે સીધું જ વરસાદના પાણી સાથે ગામના તળાવમાં આવી રહ્યું છે જેથી છેલ્લા ત્રણ દિવસમાં જુના નગડવાસ ગામના તળાવમાં અસંખ્ય માછલાના મોત થયા છે અને તળાવનું પાણી પણ પ્રદુષિત થઈ ગયું છે. જેથી તે પાણી પશુ પંખીઓને પણ પીવામાં ચાલે તેવું રહ્યું નથી. માટે આ પાણીના સેમ્પલ લઈને પ્રદૂષણ વિભાગના અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.






Latest News