ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

"ઓછી મહેનતે ખેડુત માલામાલ : મોરબીના શિવપુરના ખેડુતો કરી રહ્યા છે"કાજુ"ની ખેતી


SHARE







"ઓછી મહેનતે ખેડુત માલામાલ: મોરબી જીલ્લાના શિવપુર ગામના ખેડુતો કરી રહ્યા છે "કાજુ"ની ખેતી

દરેક કામમાં જે રીતે બીજાથી હટકે કરે છે તેની નોંધ લેવામાં આવે છે તેવી જ રીતે રૂટીન ખેતીને છોડીને હળવદ તાલુકાનાં ખેડૂતો દ્વારા હાલમાં કાજુની ખેતી કરવામાં આવી રહી છે આ વાતને સાંભળીને જરાપણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, હળવદ તાલુકાનાં શિવપુર ગામની આસપાસમાં પાંચ થી છ ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં હાલમાં કાજુની ખેતી કરવામાં આવી રહી છે અને તે લોકોને રૂટિન ખેતી કરવા કરતાં હાલમાં આવક પણ વધુ થઈ રહી છે તેવું તે ખેડૂતો કહી રહ્યા છે

મોરબી જીલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા તેના ખેતરમાં કપાસ અને મગફળીનું વાવેતર કરવા આવે છે જો કે, ધીમેધીમે મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં બાગાયતી ખેતી તરફ પ્રગતિશીલ ખેડૂતો આગળ વધી રહ્યા છે જેની નોંધ પણ હવે ખેતી ક્ષેત્રમાં લેવામાં આવી રહી છે ખાસ કરીને મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં શિવપુર પંથકમાં ખેડૂતો દ્વારા કાજુની ખેતી કરવામાં આવી રહી છે અને તેઓને તેમાં ઓછી મહેનતે ખૂબ જ સારી આવક થઈ રહી છે અને છેલ્લા આઠ વર્ષથી હળવદ તાલુકામાં જુદાજુદા પાંચેક ખેડૂતો દ્વારા તેના અંદાજે 15 વીઘા જેટલી જમીનના ખેતરોમાં કાજુના છોડનું વાવેતર કરીને કાજુનો પાક લેવામાં આવી રહ્યો છે તેવુ કાજુની ખેતી કરનાર શિવપુરના ખેડુત સિંધવ બાળદેવભાઈ કહી રહ્યા છે

હળવદ તાલુકામાં કાજુની ખેતી કરનારા ખેડૂત પાટડિયા રણજીતભાઈના કહેવા મુજબ નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં કાજુના ઝાડમાં ફળ બેસવાનું શરૂ થાય છે અને મે, જૂન, જુલાઇ અને ઓગસ્ટ મહિના સુધી તેમાં ફળો આવે છે અને મોટાભાગે અમદાવાદના વેપારીઓ બગીચાએથી જ કાજુ લઈ જાય છે વધુમાં કાજુની ખેતી વિશે નિષ્ણાતોના જણાવ્યા મુજબ કાજુને ગરમ અને ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે અને તે વાતાવરણ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં મળી રહે છે જેથી કરીને કાજુની ખેતી કરનારા ખેડૂતોને ઓછી મહેનત અને ઓછા ખર્ચે સારી આવક મળી રહી છે ત્યારે હાલમાં અશોકભાઇ ચનિયારા, હરખજીભાઇ, સિંધવ બાળદેવભાઈ સહિતના ખેડૂતો દ્વારા કાજુની ખેતીનો પ્રયોગ કરવામાં આવ્યો છે જે બીજા માટે પણ પ્રેરણરૂપ છે

કાજુનો એક રોપ ૪૦ થી લઈને ૧૦૦ રૂપિયામાં મળતો હોય છે અને પહેલા તે ગોવા લેવા માટે જવું પડતું હતું જો કે, હાલમાં ગુજરાતમાં પણ કાજુની ખેતી માટે તેના રોપા મળી જાય છે અને આ રોપમાં ત્રણથી ચાર વર્ષેમાં તેમાં ફળ લાગવાનું શરૂ થાય છે અને દર વર્ષે આ પાકમાં હવામાન આધારે વધઘટ થાય છે અને હાલમાં અહીના ખેડૂતો પ્રોસેસ કરીને નહીં પરંતુ કાચા કાજુ એટલે કે ઝાડ ઉપરથી સીધા જ વેપરીને વેચી નાખતા હોય છે તો પણ તેઓને રૂટિન ખેતી કરતાં વધુ આવક મલ્ટી હોય છે 

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ

 






Latest News