વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ઉમિયાનગર ગ્રામ પંચાયત  સાતમી વખત સમરસ


SHARE











મોરબી જિલ્લામાં ઉમિયાનગર ગ્રામ પંચાયત  સાતમી વખત સમરસ

મોરબી જિલ્લામાં આવેલ ઉમિયાનગર ગ્રામ પંચાયતને છેલ્લી ૬ ટર્મથી ગામના આગેવાનો અને વડીલો દ્વારા સમરસ કરવામાં આવી રહી છે જેથી કરીને આ ગામની અંદર સમતોલ વિકાસ થઈ રહ્યો છે ત્યારે આ વખતે પણ ગામની અંદર ચૂંટણી ન યોજાય તે માટે ગામના યુવાનો, આગેવાનો અને વડીલો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી અને વધુ એક વખત એટલે કે સાતમી વખત ઉમિયાનગર ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે

કોઈપણ ગામની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ એટલે યેનકેન પ્રકારે મતભેદ થાય, મભેદ થાય અને જુદા જુદા મતભેદના કારણે વિવાદ થાય અને પછી લોહિયાળ ચૂંટણી બને છે આવા કિસ્સાઓ ઘણી જગ્યાએ જોવા મળે છે પરંતુ વર્ષોથી ઘણા ગામોની અંદર ચૂંટણી ન યોજાઇ તે માટે સમરસ કરતા હોય છે ત્યાર બાદ ગામના સરપંચ સહિતના હોદ્દેદારો નક્કી કરીને ગામનો વિકાસ થાય તે પ્રકારની વ્યવસ્થા ગામના જ લોકો દ્વારા ઉભી કરવામાં આવતી હોય છે અને આ માટે થઇને સરકાર દ્વારા સમરસ ગ્રામ પંચાયત થાય તેને પ્રોત્સાહન મળે તે હેતુથી ખાસ વિશેષ ગ્રાન્ટ પણ આપવામાં આવે છે ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની ઉમિયાનગર ગ્રામ પંચાયતની તો ૬ ટર્મથી આ પંચાયત સમરસ જાહેર કરવામાં આવતી હોય છે અને આ વખતે પણ આ ગામની અંદર ચૂંટણી ન યોજાય તે માટે થઈને ગામના આગેવાનો, વડીલો અને યુવાનો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ પૂરો થયો ત્યારે ગામને સમરસ કરવામાં આગેવાનો સહિતનાને સફળતા મળી છે અને સરપંચ પદ માટે ભાવેશભાઈ ગોરધનભાઈ છત્રોલાની પસંદ કરવામાં આવે છે અને તે ઉપરાંત નિલેશભાઈ ભાડજારાજેશભાઈ ભાડજામહેશભાઈ છત્રોલા, વિલાસબેન કાસુન્દ્રા, ભાવિશાબેન કોરિંગા, જીજ્ઞાશાબેન ઘેટિયા અને અનસોયાબેન ભાડજાનો નવી બોડીમાં સમાવેશ કરવામાં આવે છે આ સમગ્ર બોર્ડ દ્વારા આગામી દિવસોમાં ગામના વિકાસ કામોને આગળ ધપાવવામાં આવશે તેઓ સરપંચે કોલ આપેલ છે






Latest News