ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ ભૂંભરની વાડીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ: કમિશનરને કરી રજૂઆત


SHARE











મોરબીમાં આવેલ ભૂંભરની વાડીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ: કમિશનરને કરી રજૂઆત

મોરબીમાં ભૂંભરની વાડી વિસ્તારમાં લોકોને પ્રાથમિક સુવિધાઓ જેવી કે પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, રોડ-રસ્તાઓ, સફાઈ વિગેરે મળતું નથી જેથી કરીને આ બાબતે સ્થાનિક રહેવાસીએ કમિશનરને રજૂઆત કરી હતી.

હાલમાં જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, તેઓ બાપદાદાના સમયથી ખાતેદાર ખેડૂતો છે અને તેઓ પોતાની જ વાડીમાં રહેણાંક બનાવીને રહે છે મોરબીના પંચાસર રોડે ભૂંભરની વાડી આવે છે ત્યાં ખેડૂતો પોતાના જુદા જુદા સર્વે નંબર વાળી ખેતીની જમીનમાં ઉતરોતર વારસદાર છે અને વાડીમાં જ રહે છે. અને ત્યાં એક કે બે નહીં 70 કુટુંબો જેના કુલ મળીને 350 થી વધારે લોકો વસવાટ કરે છે અને તેઓને પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, રોડ-રસ્તાઓ, સફાઈ, ઘરવેરો તેમજ અન્ય પ્રશ્નો છે તેને ઉકેલવામાં આવતા નથી જેથી કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને પાણીની જ્યુડિસી પાઇપ લાઇન બાકી છે, અમુક થાંભલા પર સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવેલ નથી અને જે થાંભલા પર સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવેલ છે તે પણ અમુક બંધ છે, ભૂગર્ભ ગટર છલકાઈ છે, ત્રણથી ચાર વખત અધિકારીઓ દ્વારા રોડ માટે સર્વે કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે જો કે, હજુ સુધી રોડ બનેલ નથી., વાડી વિસ્તારમાં કચરો લેવા માટે કોઈ વાહન આવતું જ નથી અને મહાનગરપાલિકા દ્વારા વાડી વિસ્તારમાં ફરીથી આકરણી કરીને સુવિધા આપવામાં આવે તો બધા ઘરવેરો ભરવા માટે સહમંત છે.






Latest News