મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પાંજરાપોળની 1200 વીઘા જમીન ઉપર આકાર લેશે નમો વન: કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાની હાજરીમાં 3500 વૃક્ષોનું કર્યું વાવેતર


SHARE







મોરબીમાં પાંજરાપોળની 1200 વીઘા જમીન ઉપર આકાર લેશે નમો વન: કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાની હાજરીમાં 3500 વૃક્ષોનું કર્યું વાવેતર

મોરબીના પાસે આવેલ પાંજરાપોળની 1200 વીઘા જમીનમાં વનીકરણ કરીને હરિયાળી ક્રાંતિ લાવવા માટે થઈને આજે એક પેડ મા કે નામ 2.0 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા હાજર રહ્યા હતા અને "નમો વન" માં 3500 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હાલમાં જે રીતે મોરબી રાજકીય રીતે સમગ્ર ગુજરાત નહીં ભારતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તે બાબતે કેબિનેટ મંત્રીને પત્રકારોએ પૂછતા તેમને જણાવ્યું હતું રાજકીય પક્ષના આગેવાનોને શોભે તેવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ.

મોરબી પાંજરાપોળ હસ્તકની રજવાડા એ આપેલી જમીન ઉપર હરિયાળી ક્રાંતિ લાવવા માટે થઈને પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા સરકાર અને સદભાવના નો સહયોગ લઈને દોઢ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને અગાઉ મોરબીના મકનસર ગામ પાસે પાંજરાપોળની જગ્યા આવેલ છે ત્યાં અંદાજે એક લાખ કરતા વધુ વૃક્ષોનું વાવેતર થયું હતું ત્યારબાદ હવે જોધપર ગામ પાસે મોરબી પાંજરાપોળની 1200 વીઘા જેટલી જમીન આવેલી છે અને તે જમીનની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવીને ત્યાં દોઢ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જે પૈકીના 3500 જેટલા વૃક્ષોનું આજે રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા ની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ તકે સાંસદ વિનોદભાઈ ચાવડા, ચંદુભાઈ સિહોરા અને કેશરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયા, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, ખોખરા હનુમાન હરિહર ધામથી પંચ અગ્નિ અખાડાના મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી, ભણદેવજી મહારાજ, રાતનેશ્વરી માતાજી સહિતના સંતો મહંતો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ તકે કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી સતત સરકારમાં રજૂઆતો કરીને તેમના દ્વારા આ જગ્યા ઉપર વૃક્ષારોપણ થાય તેના માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા જેના ફળ સ્વરૂપે સરકારમાંથી ગ્રાન્ટ તેમજ ઉદ્યોગકારો સહિતનાઓ સહકારથી સદભાવના ટ્રસ્ટને જવાબદારી સોંપીને અંદાજે 1.5 લાખ જેટલા વૃક્ષ જેમાં જુદા જુદા ફળના વૃક્ષો તેમજ લાંબુ આયુષ્ય હોય તેવા ઊંચા થાય તેવા વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવ્યું છે અને આ જગ્યાને "નમો વન" નામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી

અંતમાં રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે તે માટે એક વર્ષ પહેલા એક પેડ મા કે નામ અભિયાન શરૂ કર્યું હતું અને તેના બીજા વર્ષે સમગ્ર ભારત દેશની અંદર આ જ પ્રકારનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે ત્યારે મોરબીના આંગણે પાંજરાપોળની જગ્યામાં આજે 3500 વૃક્ષોનું વાવતેર કરવામાં આવ્યું છે અને આવી જ રીતે ગુજરાતમાં વૃક્ષારોપણ થશે તો ગુજરાતમાં હરિયાળી ક્રાંતિ આવશે તે નિશ્ચિત છે.

વધુમાં મોરબી અને ધારાસભ્ય જે સામસામે ચેલેન્જ આપે છે તેથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો તે બાબતે પત્રકારો દ્વારા કેબિનેટ મંત્રીને પૂછવામાં આવ્યું ત્યારે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ટૂંકમાં એટલું જ કહ્યું હતું કે રાજ્ય પાર્ટીના આગેવાનો શોભે તેવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ.






Latest News