મોરબી અગાઉ કરેલ ફરિયાદ અને રૂપિયાની લેતી દેતીનો ખાર રાખીને યુવાનને ફોન ઉપર ધાક ધમકી વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવ: બીમારીથી કંટાળીને મહિલાએ કર્યો આપઘાત-લુહારની વાડી પાસે હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ નજીક મારામારીના બનાવમાં ઇજા પામેલ એક મહિલા સહિત 8 વ્યક્તિ સારવારમાં


SHARE











મોરબીના બેલા ગામ નજીક મારામારીના બનાવમાં ઇજા પામેલ એક મહિલા સહિત 8 વ્યક્તિ સારવારમાં

મોરબીના બેલા ગામ નજીક કોઈ કારણસર મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં કુલ મળીને આઠ વ્યક્તિઓને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન રોડ ઉપર નાએન્ટરપ્રાઇઝ નજીક રહેતા કાળુ બલ્લુરામ સોટ (38) નંદરામ આદિવાસી (39), શિવા ચંદ્રભાન સોટ (22), રાકેશ આદિવાસી (28), રાજેન્દ્ર નંદરામ સોટ (19) નારાયણ સોટ (50), રાહુલ નારાયણ સોટ (20) અને સુનીતાબેન લેખરામ (27) નામના આઠ વ્યક્તિઓને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ અંગેની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી.

જુદાજુદા અકસ્માતમાં ઇજા

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા અનિરુદ્ધસિંહ ગોપાલસિંહ ઝાલા (60) નામના વૃદ્ધ જ્ઞાનપથ સ્કૂલ પાસેથી બાઈકમાં જતાં હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો આવી જ રીતે મોરબીના શનાળા રોડ પર રહેતા નકુમ ભવાનભાઈ દાનાભાઈ બાઈકમાં ઉમા રેસીડેન્સી પાસેથી પસાર થઈ રહ્યા હતા દરમ્યાન કોઈ કારણોસર બાઈક સ્લીપ થતાં અકસ્માત થયો હતો. તો મોરબીમાં રવાપર ચોકડી પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને રંજનબેન ભગવાનભાઈ કારીયા (80) નામના વૃદ્ધા જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થવાના કારણે તેઓને ઈજા થતાં ઇજા પામેલ હાલતમાં તેઓને મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા. આ ત્રણેય બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News