મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ચોમાસાને લઈને ઊભી થયેલ વિકટ પરિસ્થિતી ઉકેલવા કાંતિભાઇ અમૃતિયાના નિવાસ સ્થાને ભાજપના આગેવાનોની મિટિંગ યોજાઇ


SHARE







મોરબીમાં ચોમાસાને લઈને ઊભી થયેલ વિકટ પરિસ્થિતી ઉકેલવા કાંતિભાઇ અમૃતિયાના નિવાસ સ્થાને ભાજપના આગેવાનોની મિટિંગ યોજાઇ

મોરબી શહેરી વિસ્તારમાં છેલ્લા દિવસોથી લોકો પ્રાથમિક સુવિધા માટે ચકાજામ કરી રહ્યા છે ત્યારે આજે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને મોરબી નગરપાલિકાના માજી સભ્યો, ભાજપના સિનિયર આગેવાનો, હોદ્દેદારો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને લોકોને પડતી સમસ્યાઓ તાત્કાલિક ઉકેલાય તેના માટે ભાજપની ટીમ હવે અધિકારીઓની સાથે રહીને કામ કરશે તેવું આયોજન કરવાની સૂચના આપવામાં આવેલ છે અને આ બાબતે કાંતિભાઈ દ્વારા કાલે કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે મીટીંગ પણ કરવાના  છે.

મોરબીમાં ચિત્રકૂટ સોસાયટી, નાની કેનાલ રોડ, કન્યા છાત્રાલય રોડ, પંચાસર રોડ સહિતના જુદા જુદા વિસ્તારોમાં લોકો દ્વારા રોડ રસ્તા પાણી લાઈટ સફાઈ વગેરે જેવા પ્રાથમિક સુવિધાના પ્રશ્નોને લઈને રોડ ઉપર આવીને ચક્કાજામ કરવામાં આવી રહ્યા છે તેવી ઘટનાઓ છેલ્લા બે થી ત્રણ દિવસની અંદર બની છે ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને ઉમા ટાઉનશીપ ખાતે મોરબી શહેર અને જિલ્લાના ભાજપના સિનિયર આગેવાનો, વર્તમાન હોદ્દેદારો તેમજ મોરબી નગરપાલિકાના માજી સદસ્યો સહિતનાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને હાલમાં જે મોરબીના જુદા જુદા વિસ્તારોમાંથી લોકોના પ્રશ્નો સામે આવી રહ્યા છે તેના નિરાકરણ માટે થઈને તંત્રની સાથે રહીને ભાજપના આગેવાનો દ્વારા વહેલી તકે લોકોના પ્રશ્નો ઉકેલાય તેવું કામ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી અને આવતીકાલે મોરબી જિલ્લાના કલેક્ટર તથા મનપાના કમિશનર સાથે કાંતિભાઈ અમૃતિયાની મીટીંગ યોજાશે અને કામનું આયોજન નક્કી કરવામાં આવશે. તેવું જાણવા મળ્યું છે.






Latest News