મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ


SHARE











મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ

મોરબી કલેક્ટર કચેરી ખાતે આજે આંગણવાડી વર્કર તથા હેલ્પરો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, આંગણવાડી વર્કર તથા હેલ્પરો પાસેથી ઘણી વધારાની કામગીરી લેવામાં આવે છે. તેમજ સરકારની અનેક પ્રકારની મોબાઈલ એપ્લિકેશનથી કામ કરવાનું હોય છે જેથી મોડી માંજ સુધી કામગીરી કરવી પડે છે. અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર પાસે હજારોની સંખ્યામાં નોકરીયાતો છે તો પણ આંગણવાડી વર્કરોને ચૂંટણી બીએલઓ તરીકેની કામગીરી સોંપવામાં આવે છે. ત્યારે એક બાજુ કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ ફરજિયાત રીતે પોષણ આહાર આપવાનું, મોબાઈલ ડેટા એન્ટ્રી કરવી, પીએચઆર વિતરણ કરવાનું, સો ટકા કામગીરી કરવી વિગેરે માટે દબાણ કરે છે અને તેવામાં વધારાની બીએલઓ તરીકેની કામગીરી કરવી શક્ય જ નથી જેથી કામગીરી તેઓને ન સોંપવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News