મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન વન ઇલેક્શન અંતર્ગત કાર્યક્રમો આયોજન કર્યું હતું જેમાં પ્રદેશ ભાજપના મંત્રી તથા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા હાજર રહ્યા હતા અને વન નેસન વન ઇલેક્શન થવાથી દેશને કેટલો ફાયદો થશે, લોકોને કેટલો ફાયદો થશે તેની વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી અને જનજન સુધી તે માહિતી પહોંચાડવા માટે આહવાન કર્યુ હતુ.

સમગ્ર ગુજરાતની અંદર દરેક વિધાનસભા વિસ્તારમાં વન નેશન વન ઇલેક્શન નો મેસેજ પ્રબુધ્ધ નાગરિકો અને સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે થઈને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઉના ટાઉનશીપ ખાતે રહેતા મોરબીની માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના વિધાનસભા વિસ્તારમાં પ્રબુધ્ધ નાગરિકોના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ ભાજપના મંત્રી અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી શહેર ભાજપના પ્રમુખ રીષીપભાઇ કૈલા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મોરબી શહેર ભાજપના માજી પ્રમુખ લાખાભાઈ જારીયા મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, અનિલભાઈ મહેતા, હીરાભાઈ ટામારીયા, રાજેશભાઈ હુંબલ, જયંતિભાઈ પટેલ તેમજ મોરબી સિરામિક એસો.ના પ્રમુખ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

ત્યારે ખાસ કરીને મહેશભાઇ કસવાલાએ વન નેશન વન ઇલેક્શન અમલમાં આવવાથી લોકોને કેટલો ફાયદો થશે, સમયનો કેટલો બચાવ થશે, નાણાનો કેટલો બચાવ થશે અને આનાથી અન્ય કયા પ્રકારના ફાયદા થશે તેમજ સૌથી મોટો ફાયદો કે પાંચ વર્ષ સુધી સ્થિર સરકાર મળશે તે અંગેની મહેશભાઈ કસવાલાએ વિસ્તૃત માહિતી અને સમજ આપી હતી. ત્યારબાદ મોરબી માળિયા વિધાનસભા બેઠક વિસ્તારમાં તાજેતરમાં જે ગ્રામ્ય વિસ્તારોની અંદર ચૂંટણી હતી અને તેમાં સરપંચ તરીકે જે ચૂંટાયા છે તે તમામ નવનિયુક્તિ સરપંચોનું ધારાસભ્ય સહિતના અગ્રણીઓ દ્વારા સન્માન કરાયું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને મોરબી જિલ્લામાં વન નેશન વન ઇલેક્શનના કેમ્પેનના સંયોજક મેઘરાજસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આવી જ રીતે ટંકારા અને વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં પણ આયોજન કરવામાં આવ્યા હતા તેવી માહિતી તેમના દ્વારા આપવામાં આવી હતી અને મોરબી ખાતે જે કાર્યક્રમ યોજાયો હતો તેનું સફળ સંચાલન હસુભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News