મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર


SHARE













મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એન.ડી.પી.એસ. ના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન માટે અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલ અને રજૂ કરેલ ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી અકીલ ઉર્ફે અલ્ફેઝ અલીમામદભાઈ માણેકીયાના જામીન મંજૂર કરેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસે ૧ કીલો ૨૬૭ ગ્રામનો માદક પદાર્થ ગાંજા સાથે આરોપી અકીલ ઉર્ફે અલ્ફેઝ અલીમામદભાઈ માણેકીયાને પકડીને એન.ડી.પી.એસ. એકટની જુદીજુદી કલમ હેઠળ તેની સામે ગુનો નોંધવામાં આવેલ હતો અને તેને જેલ હવાલે કર્યો હતો ત્યારે બાદ મોરબીના સીનીયર એડવોકેટ મનીપ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી જીલ્લાના સ્પે. જજ (એન.ડી.પી.એસ) તથા સેશન્સ જજ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુક્ત થવા જામીન અરજી કરી હતી જેમાં વકીલ મનિ પી .ઓઝાએ સુપ્રીમ તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા અને ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાને લઈ મોરબી જીલ્લાના સ્પે. જજ (એન.ડી.પી.એસ) તથા સેશન્સ જજ કે.આર. પંડયા સાહેબ દ્વારા આરોપી અકીલ ઉર્ફે અલ્ફેઝ અલીમામદભાઈ માણેકીયાના ૧૫,૦૦૦  ના શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે મનિષ પી. ઓઝા તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા.






Latest News