હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં નવા બની રહેલા લખધીરપુર રોડ પર ભષ્ટ્રાચાર ની ગંધ: આમ આદમી પાર્ટીનાં આક્ષેપ


SHARE











મોરબીમાં નવા બની રહેલા લખધીરપુર રોડ પર ભષ્ટ્રાચાર ની ગંધ: આમ આદમી પાર્ટીનાં આક્ષેપ

મોરબી જિલ્લામાં લખધીરપુર રોડ ઉપર અનેક સીરામીક ફેક્ટરી આવેલી છે અને સતત ટ્રાફિકથી ધમધમતો આ વિસ્તાર છે.લખધીરપુર રોડ હમણાં સરકાર દ્વારા નવો રોડ મંજૂર કરવામાં આવ્યો છે.જેનું કામ હજુ ચાલુ કરવા આવ્યું છે.આ રોડ બનવામાં ભષ્ટ્રાચારની ગંધ આવતી હોય તેવું આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા અને મોરબી ઓબીસી વિંગના પ્રમુખ હિરેનભાઇ વૈષ્ણવ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યાં છે.વધુંમાં જાણાવ્યુ હતું કે આ રોડ બનાવતા પહેલા જે માટી કામ અને મોરમનું બુરાણ થવું જોઈએ તે યોગ્ય રીતે થયેલ નથી. જ્યાં રોડ પર બુરાણ મોરમની જગ્યાએ ફક્ત માટીથી કરેલુ હોય તેવું લાગે છે.જેના લીધે પહેલાં જ વરસાદમાં ખાડા પડી ગયા છે.જેનાં લીધે ખુબ ટ્રાફિક જામ થાય છે અને જ્યાં આરસીસી કામ થયેલ છે.તેમાં બાજુમાં બીજી રોડની પટ્ટી બને તેમના જોઈન્ટ માટે લોખંડના સરીયા લગાવેલ નથી.જેનાં લીધે રોડ જોઈન્ટ થશે નહીં તેવું લાગી રહ્યું છે.આવાં ભષ્ટ્રાચારનાં અનેક તંત્ર સામે આક્ષેપો કર્યા છે અને તંત્ર યોગ્ય રીતે કામની ચકાસણી કરે એવી માંગ પણ કરવામાં આવી છે






Latest News