સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને કરેલ આપઘાતના કેસમાં પકડાયેલ બંને આરોપીઓના જામીન મંજૂર


SHARE











મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને કરેલ આપઘાતના કેસમાં પકડાયેલ બંને આરોપીઓના જામીન મંજૂર

મોરબીમાં વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાને આપઘાત કર્યો હતો જેની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાયેલ હતી તે ગુનામાં પકડાયેલ બે આરોપીએ વકીલ મારફતે કોર્ટમાં જામીન અરજી મૂકી હતી જેને કોર્ટે મંજૂર કરતાં બંને આરોપીઓનો જામીન ૫૨ છુટકારો થયેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ તા. ૧૧/૪/૨૫ ના રોજ જીગ્નેશભાઈ હરેશભાઈ મકવાણાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને કુલ ૧૧ શખ્સોની સામે ફરિયાદ કરેલ હતી જેમાં જણાવ્યુ હતુ કે, તેના મોટાભાઇ નિલેશભાઈ હરેશભાઈ મકવાણા મોરબીના નવલખી રોડે હીતેશ માર્કેટીંગની ઓફીસ ધરાવતા હતા અને આરોપીઓના દબાણના કારણે જંતુનાશક દવા પી અને પોતે આપઘાત કર્યો હતો અને સ્યુસાઈડ નોટ લખી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં છેલ્લે આરોપી નિલેશ ભીમાણી, તથા રવીભાઈ ડાંગરની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા ત્યાર બાદ બંને આરોપીઓએ મોરબીના સીનીયર એડવોકેટ મનીપભાઈ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી સેશન્સ કોર્ટમાં જજ મીતલકુમાર રસીકભાઈ નાગપરાની કોર્ટમાં રેગ્યુલર જામીન માટે જામીન અરજી કરી હતી જેમાં આરોપીના એડ્વોકેટની દલીલો તથા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે બંન્ને આરોપીઓના શરતોને આધીન 50 હજારના રેગ્યુલર જામીન મંજૂર કરવામાં આવેલ છે. આ કેસમાં આરોપીઓ પક્ષે એડ્વોકેટ મનીષભાઈ પી. ઓઝા (ગૌપાલ ઓઝા) તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલ હતા. 






Latest News