મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાની સરકારી શાળાઓમાં તાયફા બંધ કરીને સુવિધા વધારવા કોંગ્રેસની માંગ


SHARE













મોરબી જીલ્લાની સરકારી શાળાઓમાં તાયફા બંધ કરીને સુવિધા વધારવા કોંગ્રેસની માંગ

મોરબી જીલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, ગામડાઓમાં આવેલ જર્જરીત શાળાઓ અને શિક્ષકોની ઘટ સામે આંખ આડા કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા વહેલી તકે સરકારી શાળાઓમાં રીનોવેશન, નવા શિક્ષકોની નિમણુંક તેમજ અદ્યતન શૈક્ષણિક સાધનો આપવાની માંગ કરવામાં આવી છે.

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ જણાવ્યુ હતું કે, ગત તા.૨૬, ૨૭ અને ૨૮ જુનના રોજ મોરબી જીલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, જીલ્લાના ગામડાઓમાં આવેલ શાળાઓ જર્જરીત હાલતમાં આવેલ છે. આવી જર્જરીત શાળાઓની હાલતના કારણે કોઈ આકસ્મિક બનાવ બનશે તો જવાબદાર કોણ ?, આટલું જ નહીં શાળાઓમાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ છે, અદ્યતન શૈક્ષણિક સાધનોનો અભાવ છે આ બાબતેનો ધ્યાને લેવામાં આવી રહી નથી જેથી વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ કઈ રીતે મળી શકે તે સવાલ ઉઠી રહ્યો છે. મોરબીના જીલ્લાના મુખ્ય અધિકારીઓ શિક્ષકોની ઘટ અને શાળાઓની જર્જરીત હાલતથી વાકેફ છે છતાં પણ તેની સામે આંખ આડા કરવામાં આવી રહ્યા છે જેથી ગામડાના લોકોને નાછૂટકે તેના સંતાનોને ખાનગી શાળામાં મોકલવા પડે છે. જેથી સરકારી કાર્યક્રમોમાં સરકારી નાણાંનો દુરઉપયોગ કરી રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓ શું સાબીત કરવા માંગે છે ? પણ તપાસનો વિષય છે. અને વહેલી તકે શાળાઓના રીનોવેશન, નવા શિક્ષકોની નિમણુંક તેમજ બાળકોને અદ્યતન શૈક્ષણિક સાધનો પુરા પાડવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News