મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર પ્લાન્ટને તાત્કાલીક રીપેર કરીને લોકોને પીવાનું શુદ્ધ પાણી આપવા જીલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ


SHARE











મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર પ્લાન્ટને તાત્કાલીક રીપેર કરીને લોકોને પીવાનું શુદ્ધ પાણી આપવા જીલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ

મોરબીના લોકોને પીવા લાયક શુધ્ધ પાણી આપવામાં આવે છે કે કેમ તે જોવાની મનપાના અધિકારીઓને તસ્દી લેવાની જરૂર છે કેમ કે, ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં છે અને ચોમાસનું દૂષિત પાણી સીધું જ લોકોને સપ્લાઈ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને તાત્કાલીક ધોરણે ફિલ્ટર પ્લાન્ટ રીપેર કરીને શરૂ કરવામાં આવે તેવી મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા મનપાના કમિશનરને રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મનપાના કમિશનરને રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છેકે, છેલ્લા ઘણા સમયથી મોરબીમાં લોકોને જે પાણી આપવામાં આવે છે તે પાણી જોતાંની સાથે જ આ પાણી પીવા લાયક છે કે ગટરનું પાણી...? તેવો પ્રશ્ન ઉદભવે છે. જો આવા પાણીની મેડીકલ લેબોરેટરી કરીને રીપોર્ટ કરવામાં આવે તો પગ નીચેથી જમીન સરકી જાય તેવી પરિસ્થિતિ ઉભી થાય તેમ છે. જેથી મોરબીના લોકોના આરોગ્યને થઈ રહેલ નુકશાન રોકીને વહેલી તકે પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવે તેવી માંગ કરેલ છે.

વધુમાં તેઓ જણાવ્યુ હતું કે, તાજેતરમાં કોંગ્રેસની ટીમે મોરબી શહેરના પાણીના ફિલ્ટર પ્લાન્ટની રૂબરૂ મુલાકાત લીધેલ હતી ત્યારે ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં હતા અને લોકોને સીધું જ ડેમનું પાણી સપ્લાઈ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. તેવા સમયે હાલમાં ચોમાસાના વારસાદથી નવા નીરની આવક થતાં દૂષિત પાણી લોકોને સપ્લાઈ કરવામાં આવે છે, ત્યારે જો પાણીજન્ય રોગચાળો ફેલાઈ તો તેના માટે જવાબદાર કોણ તે સહુથી મોટો સવાલ છે.

વધુમાં કિશોરભાઇએ કહ્યું હતું કે, મોરબી મહાપાલીકા અસ્તિત્વમાં આવેલ ત્યારથી કમિશનર લોકો પાસેથી ટેકસ વસુલ કરવામાં મસગુલ છે પરંતુ ટેકસ ભરતા લોકોને શુદ્ધ પાણી પણ આપવામાં આવી રહ્યું નથી અને રોડ રસ્તાની સારી સુવિધાઓ પણ મળી રહી નથી. જો કે, લોકોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવી તે અધિકારીની પહેલી નૈતિક ફરજ છે. આટલું જ નહીં મોટાભાગના રોડ રસ્તાની બાજુમાં કરવામાં આવેલ દબાનોને ડીમોલેશન કરીને તોડી નાખ્યા છે અને ધારાસભ્યને લોકોને પ્રાથમિક સુવિધાઓ મળે તે કામ કરવા માટેનો સમય નથી અને વિકાસની મોટી વાતો કરે છે. તેવો આક્ષેપ પણ કર્યો છે. અને ખાસ કરીને મોરબીની સરકારી હોસ્પીટલમાં દર્દીઓને ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે જેથી તટસ્થ તપાસ કરીને સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News