મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ભારત દેશેને હિન્દૂ રાષ્ટ્ર જાહેર કરવા માટે છેક સુધી લડી લેવું: ડી.જી.વણઝારા


SHARE











મોરબીના રામધન આશ્રમ ખાતે ડી.જી.વણઝારાની હાજરીમાં ધર્મસભા યોજાઇ

મોરબી નજીકના મહેન્દ્રનગર પાસે આવેલા રામધન આશ્રમ ખાતે ગુરવંદના મંચના નેજા હેઠળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્ર મંચ ગુજરાતના પ્રમુખ ડી.જી.વણઝારા સહિતના હાજર રહ્યા હતા અને દેશમાં સરહદો પર નહિ પરંતુ લોકોના મગજ અને શેરીગલીમાં યુધ્ધો થતા હોવાનું કહીને ભારત દેશેને હિન્દૂ રાષ્ટ્ર જાહેર કરવા માટે છેક સુધી લડી લેવાનો નિર્ધાર કર્યો હતો.

મોરબી નજીકના રામધન આશ્રમ ખાતે ધર્મસભા યોજાઇ હતી જેમાં કબીર આશ્રમના મહંત અને રાજ્યના ગુરુવંદના મંચના મહામંત્રી શિવરામદાસ બાપુ, રામેશ્વરદાસ હરિયાણી, ગુરુવંદના મંચના મોરબી જિલ્લાના પ્રમુખ અને હળવદના પીપળીધામના મહંત દલસુખ મહારાજ, ઉપપ્રમુખ અને બગથળાના નંકલકધમના મહંત દામજી ભગત અને રાષ્ટ્ર મંચ ગુજરાતના પ્રમુખ ડી.જી.વણઝારા સહિતના આગેવાનો હાજર હતા આ ધર્મસભામાં શિવરામ બાપુએ કહ્યું હતું કે, દેશમાં આદિ અનાદિ કાળથી રાજ્ય સત્તાની સાથે ધર્મ સત્તાની પરંપરા છે ત્યારે તમામ સંતોને એક નેજા હેઠળ આવીને તે દિશામાં આગળ વધવા માટે આહ્વાન કર્યું હતું અને આગામી ૨૩ તારીખે અમદાવાદમાં ૧૭૦૦  સંતોની હાજરીમાં સામેલન યોજવાનું છે ઠેબું જણાવ્યુ હતું તો ડી.જી.વણઝારાએ કહ્યું હતું કે, રાજસત્તાએ તામસી વૃત્તિનું સ્થાન છે. અને ધર્મસતાએ સાત્વિક વૃત્તિનું સ્થાન છે આગામી દિવસોમાં ભારત દેશને હિન્દૂ રાષ્ટ્ર જાહેર કરવામાં આવે તે માટે લડત ચલાવવા આહ્વાન કર્યું હતું 






Latest News