મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી નજીક કાલિન્દ્રી નદીમાં નવજાત બાળકીના મૃતદેહને ત્યજી દેનાર અજાણી મહિલા સામે ગુનો નોંધાયો


SHARE













મોરબી નજીક કાલિન્દ્રી નદીમાં નવજાત બાળકીના મૃતદેહને ત્યજી દેનાર અજાણી મહિલા સામે ગુનો નોંધાયો

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ માતાજીના મંદિરની બાજુમાંથી પસાર થતી કાલિન્દ્રી નદીમાં કોઈ અજાણી સ્ત્રીએ નવજાત બાળકીના મૃતદેહને ત્યજી દીધો હતો જેથી આ બાબતે હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણી મહિલા સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ ધાંગધ્રાના રહેવાસી અને હાલમાં મોરબીના મહેન્દ્રનગર ગામે પાવર હાઉસની બાજુમાં રહેતા મનીષભાઈ રાજુભાઈ ભોજવીયા (28)હાલમાં અજાણી મહિલા સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ નટડી માતાજીના મંદિરની બાજુમાં આવેલ કાલિન્દ્ર નદીમાં કોઈ અજાણી સ્ત્રી દ્વારા નવજાત બાળકનો જન્મ છુપાવવા માટે થઈને જન્મ પહેલા કે જન્મતી વખતે મૃત્યુ પામેલ નવજાત બાળકીના મૃતદેહને નદીમાં ફેંકી દીધો હતો જેથી આ બાબતે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણી મહિલાની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ઝેરી દવા પી લેતા સારવારમાં

રોહીશાળા ગામે ગૌતમભાઈની વાડીએ રહેતાને મજૂરી કામ કરતા અર્જુન ગોવિંદભાઈ નાયક (18) નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધ સારવારમાં

મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા ચંદુભાઈ રૂડાભાઈ ડાંગર (60) નામના વૃદ્ધ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવારી મેલડી માતાજીના મંદિર પાસેથી બાઈકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઇકમાંથી તેઓ પડી ગયા હતા અને અકસ્માત થયો જે બનાવમાં ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News