મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રધાનમંત્રી યોજનામાં ખાલી પડેલ ૧૨ આવાસ ફાળવવા માટે કવાયત


SHARE











મોરબીમાં પ્રધાનમંત્રી યોજનામાં ખાલી પડેલ ૧૨ આવાસ ફાળવવા માટે કવાયત

મોરબીમાં પ્રધાનમંત્રી યોજના આવાસમાં સ્વેચ્છીક/ રદ્દ થઈને ખાલી પડેલ ૧૨ આવાસ માટે વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરીને આવાસ ફાળવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટેની કાર્યવાહી મહાપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી

મોરબી શહેરના મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સરકાર યોજના (શહેરી) દ્વારા પ્રધાનમંત્રી આવાસ અંતર્ગત EWS-1 પ્રકારના નિર્માણ થયેલ કુલ-૬૮૦ આવાસ પૈકી ૧૨ આવાસ સ્વેચ્છીક/ રદ્દ થઈને ખાલી પડેલ છે તેનું વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરવાનું થાય છે. જેના માટે મોરબી મહાનગરપાલિકા કચેરીના નોટીસ બોર્ડ ઉપર ડોક્યુમેન્ટ લીસ્ટ અને વેઈટીંગ લીસ્ટ લાભાર્થીની નામાવલી પ્રસિદ્ધ કરેલ છે તેવા તમામ લાભાર્થીઓને તા.૨૫ ને બુધવાર રૂમ નં.૧૬, મોરબી મહાનગરપાલિકા, ડો.આંબેડકર ભવન, ગાંધીચોક, મોરબી ખાતે ડોક્યુમેન્ટની નકલ સાથે રાખી રૂબરૂ આવવાનું રહેશે. અને વેઈટીંગ લીસ્ટ ૧૨ આવાસો માટે જ ઓપરેટ કરવાનું છે જેથી ખાલી પડેલ મકાનો સામે બે ગણા લાભાર્થીઓને આવકારેલ છે અને તમામ ડોક્યુમેન્ટ રજુ કરનાર નોટીશ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરેલ નામાવલી પૈકીના પ્રથમ ૧૨ લાભાર્થીઓને અગ્રતા આપવામાં આવશે અને પરંતુ તેમાંથી કોઈ ડોક્યુમેન્ટ પૂર્તતા ન કરી શકે તો તેવા કિસ્સામાં ક્રમશઃ વેઈટીંગ ઓપરેટ કરી નિયમોનુંસારની આવાસ ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૧૨ લાભર્થીઓને મકાન ફાળવ્યા

મોરબી મહાનગરપાલિકા દ્વારા PMAY અંતર્ગત AHP ઘટકના ખાલી પડેલા ૨૪ આવાસોનું વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરવા મોરબી મહાનગરપાલિકાના દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ મેળામાં ઉપસ્થિત રહેલ પૈકી ૧૨ લાભાર્થીઓ જરુરી ડોક્યુમેન્ટ જમા કરાવેલ હતા. આ લાભાર્થીઓના દસ્તાવેજની ચકાસણી કરી નિયત થયેલ લાભાર્થી ફાળો ભરપાઈ કરેલ છે તેવા ૬ (છ) લાભાર્થીઓને કામધેનું બાયપાસ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનાના AHP ઘટક અંતર્ગત નિર્માણ થયેલ આવાસોની ફાળવણી કમિશનરના હસ્તે કરવામાં આવી હતી. તેવી માહિતી ડેપ્યુટી કમિશનરે આપેલ છે.






Latest News