લોકોના કામ કરીને હીરો બનો: પેટા ચૂંટણી પરિણામ બાદ મોરબી જિલ્લા પંચાયતના માજી સદસ્ય મહેશ રાજકોટિયાની ટકોર
SHARE








લોકોના કામ કરીને હીરો બનો: પેટા ચૂંટણી પરિણામ બાદ મોરબી જિલ્લા પંચાયતના માજી સદસ્ય મહેશ રાજકોટિયાની ટકોર
ગુજરાતમાં બે વિધાનસભાની બેઠક માટે પેટા ચૂંટણી યોજાયેલ હતી જેના પરીણામ બાદ પાટીદાર સમાજના અને પાસના આગેવાન તેમજ મોરબી જિલ્લા પંચાયત માજી સદસ્ય મહેશ રાજકોટિયાએ એવી ટકોર કરી હતી કે, લોકોની વચ્ચે રહી કામ કરશે તેને જ હવે લોકો ચૂંટશે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
તાજેતરમાં વિસાવદરની ચૂંટણીનું પરિણામ આવ્યું છે જેમાં જોઈ શકાય છે કે, ગ્રાઉન્ડ ઝીરો પર જઈને લોકોની સમસ્યાઓ સાંભળીને તેનું નિરાકરણ કરવા માટેનું જે કામ કરવામાં આવ્યું હતું તેને ધ્યાને રાખીને મતદારો દ્વારા મતદાન કરીને ધારાસભ્યને ચૂંટવામાં આવેલ છે. વધુમાં મહેશ રાજકોટિયાએ જણાવ્યુ હતું કે, "ચૂંટણી જીતવી એ માત્ર શરૂઆત છે, ખરી જવાબદારી તો લોકોના હૃદય જીતવાની છે." હાલમાં મહેશ રાજકોટિયાએ જે ટકોર કરેલ છે તે રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બનેલ છે અને ત્યારે અંતમાં તેઓએ કહ્યું હતું કે, “ચુંટણી ટાણે ચર્ચા, ચવાણું અને ચપલાથી ક્યારેય ચુટાવુ શક્ય નથી” જેથી લોકોની વચ્ચે રહીને પહેલા જે રીતે લોકોને મુંજવતા પ્રશ્નોને સમજીને તાત્કાલિક નિરાકરણ લાવતા હતા તેવી જ રીતે આગામી સમયમાં પ્રશ્નોનાં નિરાકરણ લાવીને મોરબી જીલ્લામાં પણ દાખલા બેસાડીશું તેના માટે તેઓ અને તેની ટિમ કટિબદ્ધ છે.

