મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ મોરબીનાં વીશીપરામાં બે પરિવાર વચ્ચે સશસ્ત્ર ધિંગાણુ : 10ને ઈજા મોરબી જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતના વિજેતા સરપંચોના નામ જાણો અહીં મોરબીના વિદ્યુતનગરમાં રહેતા વૃદ્ધનુ હાર્ટ એટેકથી મોત માળીયા મીયાણામાં માવતરના ઘરે આવેલ પરિણીતાએ જીવન ટુકાવ્યું મોરબીના મકનસર ગામે પત્નીને ચડામણી કરવાની ના પાડતા યુવાનને કૌટુંબિક ભાઈ-ભાભી સહિત પાંચ શખ્સોએ માર માર્યો મોરબીના બૌદ્ધનગરમાં જુગાર રમતા 5 શખ્સ 3700 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં 11 વર્ષે મુખ્યમંત્રી આવાસ યોજનાનુ કામ પૂરું ન થવાની કોંગ્રેસની રજૂઆતને ધ્યાને લઈને કાર્યવાહી કરવા આદેશ


SHARE















મોરબીમાં 11 વર્ષે મુખ્યમંત્રી આવાસ યોજનાનુ કામ પૂરું ન થવાની કોંગ્રેસની રજૂઆતને ધ્યાને લઈને કાર્યવાહી કરવા આદેશ

મોરબી નગરપાલિકા હતી ત્યારે સરકારે મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજના મંજૂર કરવામાં આવી હતી અને તેના માટેનું કામ કોન્ટ્રાકટરને આપી દેવામાં આવ્યું હતું જો કે, તે કામ 11 વર્ષે પણ પૂરું કરવામાં આવ્યું નથી જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેના પ્રમુખ દ્વારા આ બાબતે સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી તેને ધ્યાને લઈને મ્યુનિસિપાલિટી એડમિનીસ્ટેશન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા નગરપાલિકાના પ્રદેશિક કમિશ્નરને યોગ્ય કાર્યવાહી કરવા માટેનો આદેશ કરવામાં આવેલ છે.

મોરબી નગરપાલિકા હતી ત્યારે લોકોની સુખકરીમાં વધારો થાય તેના માટે સરકારમાંથી જે ગ્રાન્ટ આવતી હતી અને લોકો દ્વારા જે ટેક્સ ભરવામાં આવતો હતો તેમાંથી મોટાભાગની રકમનો ભ્રષ્ટાચાર કરવામાં આવતો હતો એટ્લે જ તો આજની તારીખે પણ મોરબીના લોકોને લાઇટ, પાણી, રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે મનપાની કચેરીએ આવીને બઘડાટી બોલાવવી પડે છે અથવા તો આંદોલન કરવા પડે છે ત્યારે સુવિધા મળે છે. જો કે, જુલાઇ 2024 માં મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા મોરબીના બાયપાસ રોડ ઉપર બનાવવામાં આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી અને બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે તેવી રજૂઆત સરકારમાં કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને હાલમાં મ્યુનિસિપાલિટી એડમિનીસ્ટેશન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા નગરપાલિકાના પ્રદેશિક કમિશ્નરને યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ કરવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, પાલિકાના જે તે સમયના અધિકારી અને પદાધિકારીઓએ આવાસ યોજનાનુ કામ પૂરું કરાવવાના બદલે મુખ્યમંત્રી આવાસ યોજનાનું કામ રાખનારા કોન્ટ્રાકટરને વારંવાર મુદતમાં વધારો કરી આપેલ હતો જેથી 11 વર્ષે પણ મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાનું કામ પૂર્ણ થયેલ નથી માટે ફરજમાં બેદરકારી રાખનારા અધિકારી અને પદાધિકારીની સામે ગુનો નોંધવા માટેની મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી હતી.






Latest News