મોરબી જીલ્લામાં બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કરીને મહિલાને ખોટી રીતે ખેડૂત ખાતેદાર બનાવનાર વૃદ્ધના આગોતરા જામીન નામંજૂર મોરબીમાં સૌપ્રથમ વખત પેન ફેશિયલ ફ્રેક્ચર માટે ચહેરાની જટીલ પ્લાસ્ટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી વાંકાનેરમાં રાજ્યસભા સાંસદ દ્વારા ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું આયોજન માંડવીનાં રમણીય બીચ ઉપર સાંસદ સહીતનાઓ દ્રારા યોગ દિવસની ઉજવણી ગાંધીનગર ચિલ્ડ્રન્સ રીસર્ચ યુનિવર્સિટીનું તારણ, બાળકોની તંદુરસ્તીને હવા, સૂર્ય પ્રકાશ, યોગ અને કસરત ખુબ જ અસરકર્તા મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન: માર્કશીટો મંગાવવામાં આવી મોરબીમાં શનાળા રોડે ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે માથાકૂટ કરી ટીશર્ટ ફાડી નાખ્યું મોરબીના પીપળી ગામ પાસેની સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓના ફાંફા: મહિલાઓએ કર્યો હોબાળો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવારમાં ખસેડાયેલા યુવાનનું બેભાન અવસ્થામાં મોત


SHARE















વાંકાનેરમાં શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવારમાં ખસેડાયેલા યુવાનનું બેભાન અવસ્થામાં મોત

વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે મહાકાળી માતાજીના મંદિરની પાછળના ભાગમાં યુવાન ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબી લાવ્યા હતા અને ત્યાંથી તેને પાછા ઘરે લઈ ગયા હતા ત્યાર બાદ યુવાનને શ્વાસ લેવા તકલીફ થતી હતી જેથી તેને રાજકોટ લઈ જતા હતા ત્યારે તે યુવાન રસ્તામાં બેભાન થઈ જતાં તેને વાંકાનેરની સરકાર હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા ત્યાં તેને ડોક્ટરે જોઈ તપાસીને મૃત જાહેર કરીને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં આવેલ આરોગ્યનગરમાં રહેતા હરેશભાઈ કુકાભાઈ સિહોરા (46) નામના યુવાને ગત તા. 6/6/ 25 ના રોજ ગાયત્રી મંદિર પાસે આવેલ મહાકાળી મંદિરની પાછળના ભાગમાં સાંજના પાંચેક વાગ્યાના અરસામાં કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને પ્રથમ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેને ઘરે પાછા લઈ ગયા હતા દરમ્યાન ગઈકાલે બપોરના સમયે આ યુવાનને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાના કારણે તેને રાજકોટ સારવાર માટે લઈને જતાં હતા તેવામાં રાજકોટ નજીક પહોચતા તે યુવાન બેભાન થઈ ગયો હતો જેથી તેને પાછા વાંકાનેરની સરકાર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન સારવારમાં

વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા રાજારામ ભક્તિરામ દુધરેજીયા (35) નામનો યુવાન વરડુસર નજીક ઊંચાઈ ઉપરથી પડી ગયો હતો જેથી તેને ઈજા થઈ હતી અને તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી ગયો

હળવદ તાલુકાના ઇસનપુર ગામે જયેશભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા દિલીપભાઈ રમણભાઈ ભીલ (22) નામના યુવાનને વાડીએ હતો ત્યારે ડાબા પગે સાપ કરડી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હળવદની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યારબાદ ત્યાંથી તેને વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News