મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર-તાલુકા અને ટંકારા તાલુકામાં વીજ ધાંધીયા દૂર કરવા ધારાસભ્યોએ વીજ કંપનીના અધિકારીઓ સાથે કરી મિટિંગ


SHARE











વાંકાનેર શહેર-તાલુકા અને ટંકારા તાલુકામાં વીજ ધાંધીયા દૂર કરવા ધારાસભ્યોએ વીજ કંપનીના અધિકારીઓ સાથે કરી મિટિંગ

વાંકાનેર શહેર તેમજ તાલુકામાં અને ટંકારા તાલુકા વિસ્તારમાં વીજ ધાંધીયા છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યા છે જેથી કરીને સ્થાનિક ધારાસભ્યોએ વીજ કંપનીના અધિક્ષક સહિતના ઈજનેરોની હાજરીમાં મિટિંગ કરી હતી અને લોકોએ પ્રશ્નો રજૂ કર્યા હતા ત્યારે વીજ કંપનીના અધિકારીઓએ વહેલી તકે વીજ પુરવઠાને લગતા જે પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવા માટેની ખાતરી આપેલ હતી.

વાંકાનેર શહેર તેમજ તાલુકામાં વિજકંપનીના ઘણા પ્રશ્નો છે તેનું કાયમી નિરાકરણ આવે તે માટે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા મોરબી અધિક્ષક કાર્યપાલક ઈજનેર ડી.આર.ધાળીયા, વાંકાનેર કાર્યપાલક ઈજનેર પી.એસ.ધુલિયાડેપ્યુટી એન્જીનીયર એન.ડી.પટેલડેપ્યુટી એન્જીનીયરઆઈ.એમ.મોઢરૂરલ-1 ના એચ.એચ. પટેલરૂરલ-2 ના કે.એચ. મોરઢુવા સબ ડિવિઝન કે.જે.કૈલા તેમજ વાંકાનેર શહેર એ.પી.પનારા સાથે વાંકાનેર નગરપાલિકા કચેરી ખાતે મિટિંગ કરી હતી અને ત્યારે અધિકારી ધારાસભ્યને ગણતરીના દિવસોમાં પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવાની ખાતરી આપેલ હતી. તો ટંકારા તાલુકામાં પણ વરસાદ પછીથી સતત વીજ ધાંધિયા જુદાજુદા વિસ્તારમાં જોવા મળે છે જેથી કરીને વીજ પુરવઠાને લગતા પ્રશ્નો ઉકેલવા માટે ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ તાત્કાલિક વીજ કંપનીના અધિકારીઓની સાથે મિટિંગનું આયોજન કર્યું હતું અને લોકોના જે પ્રશ્ન હતા તેનું નિરાકરણ લાવવા માટે અધિકારીને સૂચના આપેલ હતી.






Latest News